આસારામના સમર્થકોએ AK-47 ખરીદવા માટે ભેગા કર્યા 25 લાખ રૂપિયા
રેપ કેસના આરોપમાં છેલ્લા 2 વર્ષ કરતા વધારે સમયથી જેલમાં બંધ આસારામ બાપુ વિશે એક મોટો ખુલાસો થયો છે. હત્યા અને બળાત્કારના આરોપી કાર્તિક હલ્દરે પોલીસને પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે આસારામ વિરુધ નિવેદન આપવાવાળાને મારવા માટે ફાળો ભેગો કરીને AK-47 ખરીદવામાં આવી હતી.
નારાયણ, સંતના વેષમાં બેઠલો શેતાન છે: નારાયણ સાંઇની પત્નીનો ખુલાસો
કાર્તિક હલ્દર જેને અમદાવાદની ડીએસપી ચંચલ મિશ્રાએ પકડ્યો હતો તેમને કહ્યું કે કાર્તિકને તેઓ એ બળાત્કાર ના આરોપમાં પકડ્યો હતો. તેની સાધારણ આરોપીને જેમ પૂછપરછ કરવામાં આવી. પૂછપરછમાં કાતિક એ જણાવ્યું કે આસારામ વિરુધ નિવેદન આપવાવાળાને મારવા માટે ફાળો ભેગો કરીને AK-47 ખરીદવામાં આવી હતી. તેના માટે તેમને 25 લાખ રૂપિયા ભેગા કર્યા હતા.
જુઓ શું થયું આગળ...
આસારામ બાપુ
કાર્તિક હલ્દરને પકડનાર ડીએસપી ચંચલ મિશ્રાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.
આસારામ બાપુ
ડીએસપી ચંચલ મિશ્રાનું કેહવું છે કે કાર્તિક હલ્દરને પકડ્યા બાદ તેમની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે.
આસારામ બાપુ
આસારામ વિરુધ ગવાહી આપનારા અમૃત પ્રજાપતિ, અખિલ ગુપ્તા અને કૃપાલ સિંહને મારી નાખવામાં આવ્યા હતા.
આસારામ બાપુ
એટલું જ નહી પરંતુ અન્ય લોકો પર જાન લેવા હમલો પણ કરવામાં આવ્યો હતો.
કાર્તિકે કર્યા આસારામ અંગે અનેક ખુલાસા
પોલિસે જણાવ્યું કે કાર્તિકે આસારામને લઇને અનેક ચોંકવનારા ખુલાસા કર્યા છે. કાર્તિકના કહેવા મુજબ તેણે જ્યારે આ કેસના તમામ સાક્ષીઓને એક પછી એક મોતને ઘાટ ઉતાર્યા હતા ત્યારે આસારામ ખુબ જ ખુશ થયા હતા.
કાર્તિકનો દાવો આને માર્યા છે
કાર્તિકે દાવો કર્યો કે તેને મનગમતી પત્ની મળ્યા પછી તેને આસારામ કેસના તમામ સાક્ષીઓને મારવાનો પ્લાન બનાવ્યો.
આસારામને મળ્યો પણ હતો
પોલિસે જણાવ્યું કે કાર્તિક એક વાર જોધપુર જેલમાં આસારામને મળવા પણ ગયો હતો.
આસારામને મળ્યો પણ હતો
કાર્તિકના આ ખુલાસા બાદ શું કોર્ટમાં આ તમામ અપરાધો માટે આસારામને જવાબદાર ઠેરવી શકાશે કે કેમ? તે જોવાનું રહ્યું.
આસારામ ઓડિયો ટેપ
આ ઓડિયો ટેપમાં આસારામ જોધપુર બળાત્કાર કાંડના સાક્ષી એવા કૃપાલ સિંહને ધમકી આપી તેને પૈસાની લાલચ આપીને ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આસારામ ઓડિયો ટેપ
એટલું જ નહીં તેણે કૃપાલ સિંહને પૈસા લઇને ચૂપ રહેવા માટે પણ દબાણ કર્યું. અને સીધી રીતે તેમની વાત માની જવા પણ જણાવ્યું
આસારામ ઓડિયો ટેપ
આ ઓડિયોમાં આસારામે કૃપાલ સિંહને 50 ટકા કામ પહેલા અને 50 ટકા કામ પછી આપવાની વાત કરી છે.