'આ કૃત્ય કોઈ હિંદુએ કર્યુ હોત તો અત્યાર સુધી રમખાણો થઈ ગયા હોતઃ શ્રદ્ધા હત્યાકાંડ પર બગડ્યા ધીરેન્દ્ર શાસ્ત્રી
બાગેશ્વર ધામના પંડત ધીરેન્દ્ર શાસ્ત્રીએ પણ શ્રદ્ધા હત્યાકાંડ પર પોતાની વાત કહી છે.
Shraddha Murder Case: મુંબઈની 28 વર્ષની યુવતી શ્રદ્ધા વૉકરનો નિર્મમતાપૂર્વક કરાયેલો હત્યાકાંડ હાલમાં દેશમાં ચર્ચાનો વિષય છે. અલગ-અલગ મંતવ્ય ઉપરાંત ઘણા લોકો આને લવ જેહાદનો એંગલ પણ આપી રહ્યા છે. આ ક્રમમાં હવે બાગેશ્વર ધામના પંડત ધીરેન્દ્ર શાસ્ત્રીએ પણ શ્રદ્ધા હત્યાકાંડ પર પોતાની વાત કહી છે. ઉલ્લેખનીય છે કે દિલ્લીના એક ફ્લેટમાં આફતાબ અમીન પૂનાવાલાએ પોતાની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધાને 18 મેના રોજ ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી અને તેના શબના 35 ટૂકડા કરીને અલગ-અલગ વિસ્તારોમાં દિવસો સુધી ફેંકતો રહ્યો. પોલીસે 14 નવેમ્બરે તેની ધરપકડ કરી છે.

'હિંદુઓમાં એકતા નથી'
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યુ, 'લોકો સ્વયં જાગૃત નથી. હિન્દુઓમાં એકતા નથી. જો આ કામ દેશમાં કોઈ હિન્દુએ કર્યું હોત તો અત્યાર સુધીમાં દેશમાં રમખાણો થઈ ગયા હોત. અત્યાર સુધીમાં સરકારો બદલાઈ ગઈ હોત. ઉલટફેર થઈ ગઈ હોત, તેને અમાનવીય કૃત્ય જાહેર કરવામાં આવ્યુ હોત, તે અમારો અને તમારી કમી છે કે આપણે એકજૂટ નથી. આમાં સૌથી મોટી ખામી એ છે કે આપણે જાગૃત નથી.'

'અન્ય ધર્મના લોકો સતત પોતાની જાતને મજબૂત કરી રહ્યા છે'
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ વધુમાં કહ્યુ, 'આમાં સૌથી મોટી નબળાઈ એ છે કે તેઓ બીજાને નબળા અને પોતાને મોટા માને છે. અન્ય ધર્મના લોકો સતત પોતાની જાતને મજબૂત કરી રહ્યા છે. સનાતન સંસ્કૃતિ ભારતની દીકરીઓને, આપણા ભારતના સંતોને, આપણા ભારતના ગૌરવને સતત ષડયંત્ર કરીને નુકસાન પહોંચાડી રહી છે અને આપણે સૂઈ રહ્યા છીએ. મે પહેલા કહ્યુ હતુ, આજે ફરીથી કહુ છુ, ઘણી વખત તેમની ટ્રેનો નીકળે છે, જેમના ઘર રેલવે સ્ટેશન પાસે હોય છે.

'લવ જેહાદ અને જાતિવાદને પ્રોત્સાહન આપવા માટે...'
17 નવેમ્બરના રોજ, ભીંડના દંદરૌઆ ધામમાં એક વાર્તા સંભળાવતી વખતે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પત્રકારોને લવ જેહાદ અને જાતિવાદ વિશે મોટી વાતો કહી. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યુ કે જેહાદ અને જ્ઞાતિવાદને પ્રોત્સાહન આપવા માટે વિદેશથી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યુ કે હવે ભારતના સનાતન ધર્મને તોડવા માટે આરબ દેશોમાંથી ફંડિંગ કરવામાં આવી રહ્યુ છે. તેમની મદદથી ભારતમાં ષડયંત્ર રચવામાં આવી રહ્યુ છે. જ્ઞાતિવાદના નામે હિંદુઓને અંદરોઅંદર લડાવવામાં આવે છે.
श्रद्धा मर्डर केस पर बोले बागेश्वर धाम के पंडित धीरेंद्र शास्त्री- "अगर यही कृत्य कोई हिंदू करता तो अब तक देश में दंगे हो जाते" #ShraddhaWalkar #AftabAminPoonawalla pic.twitter.com/j7P3d49XXZ
— News1Indiatweet (@News1IndiaTweet) November 18, 2022












Click it and Unblock the Notifications
