Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Shukra Mahadasha : શુક્રની મહાદશા બને છે ભાગ્યોદયનું કારણ, 20 વર્ષ સુધી આપે છે અઢળક લાભ

Shukra Mahadasha : જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર શુક્ર ગ્રહ ધન-વૈભવ, વિલાસિતા, પ્રેમ, આકર્ષણ આપવાવાળા ગ્રહ છે. જે વ્યક્તિની કુંડળીમાં શુક્ર ઉચ્ચ સ્થાને હોય, તો તે વ્યક્તિના જીવનમાં ભૌતિક સુખ આપે છે. આ વ્યક્તિ સુંદર હોય છે, આકર્ષક હોય છે.

અપાર સંપત્તિના માલિક બને છે, જીવનમાં પ્રેમ અને સંપત્તિનો ભરાવો થાય છે. એકંદરે, વ્યક્તિ રાજા જેવું વૈભવી જીવન જીવે છે. શુક્રની મહાદશા વધુમાં વધુ 20 વર્ષ સુધી ચાલે છે અને આ સમય સારી રીતે પસાર થાય છે. એમ કહી શકાય કે, કુંડળીમાં શુક્ર બળવાન હોય તો શુક્રની મહાદશા ભાગ્યને જાગૃત કરે છે. જે સાદી ભાષામાં વ્યક્તિનો દશકો છે, એમ જાણીએ છીએ.

Shukra Mahadasha

શુક્રની મહાદશાની અસરો

જો કોઇ વ્યક્તિની કુંડળીમાં શુક્ર ઉચ્ચ સ્થાને હોય, તો શુક્રની મહાદશામાં વ્યક્તિને રાજાશાહી સુખ અને સમૃદ્ધિ મળે છે, તેનું જીવન પ્રેમથી ભરેલું હોય છે. બીજી તરફ શુક્રની કુંડળીમાં શુભ યોગ નથી, તેમને મુશ્કેલીઓ, નાણાકીય પડકારો અને પ્રેમની કમીનો સામનો કરવો પડશે.

આવા લોકોનું જીવન મુશ્કેલીઓ અને સંઘર્ષમાં પસાર થાય છે. તેમને પ્રેમ નથી મળતો, લવ લાઈફ-મેરેજ લાઈફ સારી નથી હોતી. આવ સ્થિતિમાં વ્યક્તિએ જલદીથી એવા ઉપાય કરવા જોઈએ, જેથી ભગવાન શુક્ર પ્રસન્ન થાય અને તેને સુખ-સમૃદ્ધિ મળે.

ભગવાન શુક્રને પ્રસન્ન કરવાના ઉપાય

જો કુંડળીમાં અશુભ શુક્ર કે શુક્ર દોષ હોય, તો તેના અશુભ પરિણામોથી છુટકારો મેળવવા માટે જ્યોતિષશાસ્ત્રમાં ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો ખૂબ જ અસરકારક છે, આ સાથે તેને કરવાથી જીવનમાં ધન, પ્રેમ અને સુખ વધે છે.

શુક્રવારનો દિવસ દેવી લક્ષ્મી અને ધનની દેવી શુક્રદેવને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે, તેથી શુક્રવારના રોજ આ ઉપાયો કરવાથી અનેક ગણો વધુ લાભ મળે છે, આ સાથે જીવનમાં ઝડપથી સકારાત્મક પરિવર્તન આવે છે.

દર શુક્રવારના રોજ શુક્રદેવના બીજ મંત્ર 'શૂન શુક્રાય નમઃ' નો જાપ કરો. આ મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરો.

શુક્રવારની સાંજે અથવા રાત્રે નિશિતા કાળમાં દેવી લક્ષ્મીની પૂજા કરવી ખૂબ જ ફાયદાકારક છે. પૂજામાં મા લક્ષ્મીને દૂધથી બનેલી ખીર અથવા મીઠાઈ ચઢાવો.

શુક્રવારના દિવસે કીડીઓને લોટ અને ખાંડ ખવડાવો.

શુક્રવારના રોજ સફેદ વસ્ત્રો પહેરો.

શુક્રવારના દિવસે કન્યાઓને દૂધથી બનેલી ખીર અથવા મીઠાઈ ખવડાવો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X