અકાલીઓએ સમર્થન પાછું ખેંચતા ભાજપે સિધ્ધુને બેઠક ઓફર કરી
નવી દિલ્હી, 16 ઓક્ટોબર : ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા અને ધુંવાધાર ભાષણ આપવા માટે જાણીતા નવજોત સિંહ સિધ્ધુને ભાજપ દ્વારા આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણીઓમાં પશ્ચિમ દિલ્હીની બેઠક ઓફર કરવામાં આવી છે.
આ અંગે ભાજપના સૂત્રો તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર અમૃતસરમાં અકાલીદલ દ્વારા આગામી લોકસભા ચૂંટણી 2014માં લોકસભા માટે તેમને ઉમેદવાર તરીકે સમર્થન પાછું ખેંચી લીધા બાદ ભાજપે સિધ્ધુને મનાવવા માટે વિધાનસભા ચૂંટણીમાં દિલ્હીની બેઠક ઓફર કરી છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં નવજોત સિંહ સિદ્ધુએ સિખોના ધાર્મિક સ્થળ અમૃતસરનો વિકાસ કરવાની અકાલીઓ દ્વારા કરવામાં આવતી અવગણનાને પગલે અમરણ ઉપવાસ કરવાની ધમકી આચરતી હતી.
આ સમગ્ર ઘટનાક્રમ બાદ ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહ અને પંજાબના મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે વચ્ચે પડીને નવજોત સિંહ સિધ્ધુને ઉપવાસ પર બેસતા રોક્યા હતા. ત્યાર બાદ અકાલીદલે આનો બદલો લેતા સ્પષ્ટ જણાવ્યું હતું કે સિધ્ધુને પંજાબની બેઠક પરથી ચૂંટણી લડવા દેવામાં નહીં આવે.
બીજી તરફ સિદ્ધુની લોકપ્રિયતાને જોતા તેઓ પશ્ચિમ દિલ્હીની બેઠક જીતી શકે એવી શક્યતાઓને જોતા ભાજપે તેમને આ બેઠક ઓફર કરી છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં પંજાબીએની વસતી નોંધપાત્ર પ્રમાણમાં છે. જેના કારણે જીતની શક્યતા વધી જાય છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા











Click it and Unblock the Notifications
