સિક્કિમ રોડ અકસ્માતમાં શહિદ થયેલા જવાનો માટે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ દુ:ખ વ્યક્ત કર્યુ
સૈનાના 16 વજાનોના રોડ અકસ્માતમાં મોત થયા છે. સિક્કિમાં જ્યારે જવાનો ચટનીથી થૂંગ તરફ જઇ રહ્યા હતા ત્યાર આ દુર્ઘટના બની હતી. જેમા 16 જવાનો શહીદ થયા હતા જ્યારે 4 જવાન ઘાયલ થતા તેમને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.
સિક્કિમામાં મોટી દુર્ઘટના થઇ હતી જેમા 16 જેટલા સૈનાના જેવાનો શહીદ થયા હતા. સેનાના ઉચ્ચ અધિકારી અનુસાર ઘટના જેમા, ઉત્તરી સિક્કિમમાં થઇ હતી. દુર્ઘટનાગ્રસ્ત વાહન ત્રણ વાહનોના કાફલાનો ભાગ હતો. જે ચટનથી સવારે થંગુ તરફ જઇ રહ્યો હતો.

પીઆરઓ ડિફેન્સ લેફ્ટિનેન્ટ કર્નલ મહેન્દ્ર રાવત અનુસાર જેમાના રસ્તે વાહન એક વળાંક પર એક ઢાળ પરથી નચી પટકાઇ હતી. ત્યા બાદ બચાવ અભિયાન તુરંત જ શરુ કરવામાં આવ્યુ હતુ. ચાર ઘાયલ સૈનિકોને હવાઇ માર્ગથી કાઢામાંં આવ્યા હતા. જેમાથી ત્રણ જૂનિયર કમીશંડ અધિકારીયો અને 13 સૈનિકોએ દુર્ઘટનામાં થયેલી ઇજાના લીધે ત્યાં જ દમ તોડી દિધો હતો. આ દુ;ખની ઘડીમાં ભારતીય સૈના પરીવારો સાથે ઉભી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સિક્કિમમાં સડક દુર્ઘટનામાં ઘાયલ સૈનિકોને એરલિફ્ટ કરીને પહેલા સિલિગુડી સ્થિત બાગડોગરામાં ઉતારવામાં આવ્યા હતા. ત્યાર બાદ બેંગડૂબી સ્થિત સેના હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ આ ચારેય જવાનનો ઇલાજ ચાલી રહ્યો છે.
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ સિક્કિમ સડક દુર્ઘટનામાં શહિદ શહિદ થયેલ જવાનોને માટે દુખની લાગણી વ્યક્ત કરી હતી. રાષ્ટ્રપતિએ કહ્યુ કે, મૃતક પરિવારો પ્રતિ મારી હાર્દિક સંવેદના છે. અને ઘાયલોની જલ્દી સ્વસ્થ થવાની પ્રથના કરુ છુ.












Click it and Unblock the Notifications
