For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગઢચિરોલીમાં ઘર્ષણ, 6 નક્સલી માર્યા ગયા

By Super
|
Google Oneindia Gujarati News

naxal
નાગપુર, 20 જાન્યુઆરીઃ મહારાષ્ટ્રમાં ગઢચિરોલી જિલ્લામાં પોલીસે શનિવારે રાત્રે છ નક્સલીઓ માર્યા ગયા. ગઢચિરોલીના ઉપ મહાનિરીક્ષક રવિન્દ્ર કદમે કહ્યું કે સુરક્ષા દળોએ ગોવિંદગાંવે ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરતા નક્સલીઓને મધ્યરાત્રીએ ઠાર માર્યા હતા.

કદમે કહ્યું કે થોડા સમય બાદ જ સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે ગોળીબાર શરૂ થઇ ગઇ, જેમાં એક મહિલા સહિત છ નક્સલીઓ માર્યા ગયા. અભિયાનમાં સામેલ સુરક્ષા દળોમાં કોઇ ઘાયલ નથી.

મૃત નક્સલીઓની ઓળખ ગીતા, શંકર, જુરુ, મોહન, વિનોદ તથા એક અન્ય પુરુષ સદસ્ય તરીકે કરવામાં આવી છે. તેમનું નામ હજુ સુધી જાણવા મળ્યું નથી.

કદમે કહ્યું કે, તે અહેરી નક્સલ સમૂહ સાથે સંબંધો ધરાવતા હતા અને ક્ષેત્રમાં હુમલાનું ષડયંત્ર કરી રહ્યાં હતા. અમને તેની પાસેથી એસએલઆર તથા 303ની બે બંદૂકો મળી આવી હતી. નક્સલીઓના મૃતદેહો અહેરી પોલીસ મથકે લાવવામાં આવ્યા છે. તપાસ ચાલી રહી છે.

English summary
South Gadchiroli gunned down six Naxal cadres, including senior leaders, in an encounter in the jungle near Govindgaon village in Jimulgatta in the wee hours of Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X