ડીએસપીની પત્નીએ સરકાર સામે મૂકી બીજી બે માંગો!
જે સ્થાને જિયા ઉલ હકનું મોત થયું હતું તે સ્થાનનું નામ જિયા ઉલ હકના નામથી રાખવામાં આવે. આની સાથે જ પરવીને જણાવ્યું કે રાજા ભૈયાને જલદીથી ધરપકડ કરીને તપાસ આગળ વધારવામાં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે કૂંડા વિસ્તારના વલીપૂર ગામમાં શનિવારે થયેલી ફાયરીંગમાં ગામના પ્રધાન નન્હે અને તેમના ભાઇનું પણ મૃત્યુ થયું હતું. ઘટના બાદ આક્રોશિત થયેલા ટોળાને કાબૂ કરવા માટે ઘટનાસ્થળે આવી પહોંચેલા કૂંડાના સીઓ જિલાઉલ હકની પણ હિંસા દરમિયાન ટોળાએ હત્યા કરી દીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ડીએસપી જિયા ઉલ હક મર્ડર કેસમાં સીબીઆઇએ રાજા ભૈયાની સામે અપરાધિક કાવતરું અને હત્યાનો કેસ દાખલ કર્યો છે. આની સાથે જ રાજા ભૈયાની ધરપકડ ટૂંક સમયમાં થવાની શક્યા પાક્કી થઇ ગઇ છે. સીબીઆઇએ આ મામલો ડીએસપીની પત્ની પરવીન આઝાદની ફરિયાદના આધારે નોંધ્યો છે. સીબીઆઇની એક 10 સભ્યોવાળી એક ટીમ ઇલાહાબાદથી આઇજીને લઇને કૂંડા માટે રવાના થઇ ચૂકી છે.