For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદી અને શાહ માટે મમતા બેનર્જીએ કર્યો ખોટી ભાષાનો ઉપયોગ, સ્મૃતિ ઈરાની બોલ્યા - આ દીદીના 'સંસ્કાર' છે

મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માટે રેલીમાં ખોટી ભાષાનો ઉપયોગ કર્યો. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ મમતા બેનર્જી પર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ(ટીએમસી)ના પ્રમુખ મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માટે રેલીમાં ખોટી ભાષાનો ઉપયોગ કર્યો. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ મમતા બેનર્જી પર નિશાન સાધ્યુ છે. ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યુ, 'મને એ સાંભળીને નવાઈ લાગે છે કે તે(મમતા બેનર્જી) કોરોના મહામારી માટે મોદીજી અને અમિત શાહજીને ગાળ આપી રહ્યા છે. પરંતુ આ જ મમતા બેનર્જીના સંસ્કાર છે. મોદીજી તેમને દીદી તરીકે સંબોધિત કર્યા છે પરંતુ તેમને સાર્વજનિક મંચથી અમારા નેતૃત્વનો દુરુપયોગ કર્યો છે.'

smriti irani

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ જલપાઈગુડીમાં એક રેલી દરમિયાન કહ્યુ કે, 'PM નરેન્દ્ર મોદી અને અમિત શાહ, જ્યારે અહીં કોરોનાના કેસ વધી રહ્યા હતા તો ક્યારેય ન આવ્યા. હવે એ બંને બહારથી લોકોને લાવી રહ્યા છે અને કોરોના ફેલાવી રહ્યા છે કે તેને ફેલાતો બચાવી રહ્યા છે.' સ્મૃતિ ઈરાનીએ બુધવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધીને કહ્યુ કે જ્યારે તે(મમતા બેનર્જી) ખેલા હોબેની વાત કરે છે ત્યારે રાજ્યના લોકો કહે છે કે આ તો કમળ માટે નારા લગાવી રહ્યા છે.

શિકારપુરમાં એક સાર્વજનિક સભાને સંબોધિત કરીને ભારતીય જનતા પાર્ટીના નેતા સ્મૃતિ ઈરાનીએ કહ્યુ, 'દીદીને દીદી કહેવા પર તે પરેશાન થઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે પીએમ મોદી દીદી ઓ દીદી કેમ કહી રહ્યા છે. તે પરેશાન થાય છે જ્યારે પીએમ મોદી તેમને સમ્માન આપી રહ્યા છે. પીએમ મોદી તેમનુ સમ્માન કરે છે અને તેમનુ અપમાન કરે છે. પરંતુ મમતા બેનર્જીના 'ખેલા હોબે'નો અર્થ બીજાનુ અપમાન કરવાનો છે.'

સ્મૃતિ ઈરાનીએ કહ્યુ કે આ ચૂંટણી પહેલા તેમણે(મમતા બેનર્જી)એ દરેક વ્યક્તિને કહ્યુ હતુ કે ખેલા હોબે પરંતુ તે જાણતા નથી કે પ્રત્યેક તબક્કા બાદ બંગાળના લોકો દીદીને કહેશે કે કમળ માટે નારા લગાવો. કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે, 'ટીએમસી માટે દરેક વોટ મહિલાઓ, ગરીબ લોકો અને રાજ્યના લોકોનુ અપમાન છે. જો તમે રાજ્યની રક્ષા કરવા માંગતા હોય અને સંસ્કૃતિ બચાવી રાખવા માંગતા હોય તો કમળને દબાવો અને ભાજપને પોતાના આશીર્વાદ આપો.'

5 હજાર રેમડેસિવર ઈંજેક્શન વિશે ભાજપ અધ્યક્ષે હવે તોડ્યુ મૌન5 હજાર રેમડેસિવર ઈંજેક્શન વિશે ભાજપ અધ્યક્ષે હવે તોડ્યુ મૌન

English summary
Smriti Irani hits on Mamta Banerjee over PM Modi and Amit Shah remark.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X