અમેઠીથી ચૂંટણી લડવા રાહુલ ગાંધીને સ્મૃતિની ચેલેન્જ, જાણો શું કહ્યું?
સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીએ ચેલેન્જ કરતા પુછ્યુ કે, શું એ પાક્કુ માનીએ કે તેઓ અમેઠીથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે?
ઉત્તર પ્રદેશમાં ફરીથી રાજનીતિ તેજ થઈ ગઈ છે. રાજ્યમાં સ્થાનિક ચૂંટણીઓ આવી રહી છે ત્યારે હવે ફરીથી નેતાઓની બયાનબાજી તેજ થઈ ગઈ છે. હાલમાં જ પીએમ મોદી સામે વારાણસીથી ઉમેદવાર રહેલા અજય રાયે સ્મૃતિ ઈરાનીને લઈને અભદ્ર ટિપ્પણી કરી હતી ત્યારે હવે સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને ચેલેન્જ કરી છે.

સ્થાનિક ચૂંટણીને લઈને રાજનીતિ તેજ થઈ રહી છે ત્યારે સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીએ ચેલેન્જ કરતા પુછ્યુ કે, શું એ પાક્કુ માનીએ કે તેઓ અમેઠીથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે?
સ્મૃતિ ઈરાની પર ટિપ્પણીને લઈને બીજેપી તરફથી પણ સખત પ્રતિક્રિયા આવી રહી છે. ખુદ સ્મૃતિ ઈરાનીએ પણ ટિપ્પણીને અભદ્ર ગણાવી હતી. આ બાબતે તેમણે રાહુલ ગાંધીને નિશાને લીધા હતા. સ્મૃતિ ઈરાનીએ ટ્વિટ કરીને કહ્યું કે, મેં સાંભળ્યું છે કે રાહુલ ગાંધીજી તમે તમારા એક પ્રાંતીય નેતા પાસેથી અભદ્ર રીતે 2024માં અમેઠીથી ચૂંટણી લડવાની જાહેરાત કરાવી છે. તો શું હું ખાતરીપૂર્વક કહી શકું કે તમે અમેઠીમાંથી ચૂંટણી લડશો? શું તમે બીજી સીટ પર ભાગશો નહીં? તમે ડરશો તો નહીં ને?
અમેઠી સીટ પરથી ચૂંટણી લડવા અંગેના એક સવાલ પર અજય રાયે કહ્યું હતું કે, ત્યાં જે પણ વિકાસ દેખાઈ રહ્યો છે તે કોંગ્રેસની આગેવાનીવાળી સરકારમાં થયો છે. તેમણે કહ્યું કે આ સીટ પર રાહુલ ગાંધી અને રાજીવ ગાંધી ચૂંટણી લડી ચુક્યા છે અને અહીં ફેક્ટરીઓ લગાવવામાં આવી. હવે સ્થિતિ એવી છે કે અડધાથી વધુ કારખાનાઓ બંધ થવાના આરે છે. તેમણે કહ્યું કે, અહીંના સાંસદ સ્મૃતિ ઈરાની લટકા-ઝટકા સાથે આવે છે અને જતી રહે છે. અજય રાયે કહ્યું હતું કે અમેઠી ગાંધી પરિવારની બેઠક છે અને રહેશે. કોંગ્રેસની અમારી માંગ છે કે રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી 2024માં અમેઠી બેઠક પરથી ચૂંટણી લડવી જોઈએ.












Click it and Unblock the Notifications
