સોશિયલ મીડિયાનો થઈ રહ્યો છે દુરુપયોગ, વિશ્વસનીયતા જાળવવી જરુરીઃ સીએમ યોગી

Yogi Adotyanath: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન સોશિયલ મીડિયા ઈન્ફ્લુએંસર્સને સંબોધિત કર્યા. આ દરમિયાન તેમણે કહ્યુ કે વૈશ્વિક મંચ પર ભારતનુ કદ વધ્યુ છે અને સોશિયલ મીડિયાએ પણ આમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

તેમણે કહ્યુ કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના છેલ્લા નવ વર્ષના શાસનમાં ભારતમાં કેવી રીતે બદલાવ આવ્યો છે તેનો પ્રચાર કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકાય છે. CM યોગી આદિત્યનાથે કહ્યુ કે દુનિયા હવે દેશની ક્ષમતા જોઈ રહી છે અને આપણે સોશિયલ મીડિયા દ્વારા તેનો પ્રચાર કરવો જોઈએ.

Yogi Adityanath

CM યોગીએ કહ્યુ કે લગભગ 20 વર્ષ પહેલા પ્રિન્ટ મીડિયાનું વર્ચસ્વ હતુ. પછી ઈલેક્ટ્રોનિક મીડિયા દેખાયુ. પહેલા ન્યૂઝ ચેનલો બહુ ન હતી પરંતુ સમયની સાથે તેની સંખ્યા વધતી ગઈ. છેલ્લા સાતથી આઠ વર્ષમાં સોશિયલ મીડિયા અને ડિજિટલ મીડિયામાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે.

યોગી આદિત્યનાથે કહ્યું કે, પહેલા જ્યારે લોકો દેશ-વિદેશમાં થતી ઘટનાઓ વિશે જાણવા માટે સવારનું છાપુ વાંચતા હતા, ત્યારે હવે સોશિયલ મીડિયાના માધ્યમથી દરેક ક્ષણે સમાચાર લોકો સુધી પહોંચે છે. સ્માર્ટફોને તેને સરળ બનાવી દીધુ છે પરંતુ તેનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે.

જે લોકો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરશે તે જ ડિજિટલ ક્રાંતિમાં ટકી શકશે. બીજા આવતા-જતા રહેશે. આ બાબતમાં તમારી વિશ્વસનીયતા જાળવી રાખવી જરૂરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમની સરકાર કોઈપણ જાતના ભેદભાવ વિના દરેકને વિકાસ સાથે જોડી રહી છે.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક, ઉત્તર પ્રદેશ ભાજપ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરી અને અન્ય ઘણા નેતાઓ હાજર હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X