મુઝફ્ફરનગર હિંસાઃ આજે થઇ શકે છે વધુ ધરપકડ
લખનઉ, 22 સપ્ટેમ્બરઃ પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં જારી હિંસા પર હવે રાજકારણ ખેલાઇ રહ્યું છે. પ્રદેશની યુપીએ સરકાર હિંસા અંગે રજૂ કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનના આરોપીઓની ધરપકડમાં વેગ લાવીને પોતાની બગડેલી છબીને સુધારવાના પ્રયાસો કરી રહી છે. જો કે, સ્ટિંગ ઓપરેશનને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવે તો સપા સરકારના દિગ્ગજ નેતા આઝમ ખાન સામે પણ પ્રશ્નાર્થ છે.
પરંતુ
હાલ
સપા
સરકારની
તલવાર
ભાજપ
અને
બસપાના
ધારાસભ્યો
પર
ફરી
રહી
છે.
મુઝફ્ફરનગર
હિંસામાં
પોલીસ
કાર્યવાહી
ઝડપ
કરતા,
ભાજપે
હુકમ
સિંહ,
સુરેશ
રાણા
અને
સંગીત
સોમની
ધરપકડ
કરવામાં
આવી.
માનવામાં
આવી
રહી
છે
કે,
આજે
પણ
કેટલીક
ધરપકડ
કરવામાં
આવી
શકે
છે.
પોતાના ધારાસભ્યોની ધરપકડ બાદ પ્રદેશ સરકાર વિરુદ્ધ મોરચો ખોલતા ભાજપે પ્રદેશ પ્રવક્તા વિજય બહાદૂર પાઠકે કહ્યું છે કે, સપા સરકાર મુસલમાનોને ખુશ કરવા માટે આ કાર્યવાહી કરી રહી છે. નોંધનીય છે કે મુઝફ્ફરનગર અને તેની આસપાસના જિલ્લાઓમાં થયેલી હિંસામાં અંદાજે 50 લોકોની મૃત્યુ થઇ હતી અને 62 ઇજાગ્રસ્ત થયા હતા. અંદાજે 50 હજાર લોકો બેઘર થઇને 40 રાહત શિવિરમાં રહી રહ્યાં છે.