સોનાલી ફોગાટના આજે અંતિમ સંસ્કાર, ગોવાથી હિસ્સાર પહોંચશે પાર્થિવ શરીર
આજે સોનાલી ફોગાટના હિસ્સાર સ્થિત ફાર્મ હાઉસમાં મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
નવી દિલ્લીઃ સોનાલી ફોગાટના મોતના મામલે ગોવા પોલીસે હવે હત્યાનો કેસ નોંધ્યો છે. તેના પરિવારની ફરિયાદ બાદ આઈપીસીની કલમ 302 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. સોનાલીનો મૃતદેહ 25 ઓગસ્ટે તેના ભાઈને સોંપવામાં આવ્યો હતો. 26 ઓગસ્ટે ફોગાટના હિસ્સાર સ્થિત ફાર્મ હાઉસમાં મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

ભાજપ નેતા અને બિગ બૉસ 14 ફેમ સોનાલી ફોગાટે 22 ઓગસ્ટે ગોવામાં અંતિમ શ્વાસ લીધા હતા. અગાઉ એવુ કહેવામાં આવ્યુ હતુ કે ભાજપ નેતાનુ મૃત્યુ હાર્ટ એટેકથી થયુ હતુ પરંતુ પાછળથી તેમના પરિવારની ફરિયાદને પગલે ગોવા પોલીસે અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો હતો. સોનાલીના પરિવારની ફરિયાદ બાદ આઈપીસીની કલમ 302 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. સોનાલીનો મૃતદેહ 25 ઓગસ્ટે તેના ભાઈને સોંપવામાં આવ્યો હતો. 26 ઓગસ્ટે ફોગટના હિસ્સાર સ્થિત ફાર્મ હાઉસમાં મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
સોનાલી ફોગાટના ભાઈએ કાલે સાંજે 7.15 વાગ્યે ગોવાથી ફ્લાઈટ લીધી. તે રાત્રે હરિયાણાના હિસ્સાર પહોંચ્યા. સોનાલી ફોગાટ અંતિમ સંસ્કાર આજે 26 ઓગસ્ટે તેમના હિસ્સાર સ્થિત ફાર્મ હાઉસમાં કરવામાં આવશે. સોનાલી સિંહ ફોગાટ ફતેહાબાદ જિલ્લાના ભૂથન ગામની રહેવાસી હતી. તેના લગ્ન હિસારના હરિતાના સ્વર્ગીય સંજય ફોગટ સાથે થયા હતા. ડિસેમ્બર 2016માં જ્યારે સોનાલી મુંબઈમાં હતી ત્યારે તેના પતિનુ પણ તેના ખેતરમાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયુ હતુ. સોનાલીના પરિવારમાં સાત વર્ષની એક પુત્રી છે.
સોનાલીના મોત પર સીએમ ખટ્ટરની પ્રતિક્રિયા
હરિયાણાના સીએમ એમએલ ખટ્ટરે સોનાલી ફોગાટની હત્યા પર પ્રતિક્રિયા આપતા કહ્યુ, 'મેં ગોવાના સીએમ અને પોલીસ અધિકારીઓ સાથે વાત કરી છે. તેમના પરિવારજનોએ હત્યાની આશંકા સાથે ફરિયાદ લખાવી છે. પોસ્ટમોર્ટમ બાદ વધુ જાણકારી મળશે. વિસરાના નમૂનાઓનુ પરીક્ષણ કરવામાં આવશે. જ્યારે સોનાલીના પરિવારે તેના મોતની સીબીઆઈ તપાસની માંગ કરી છે. આના પર સીએમ ખટ્ટરે કહ્યુ, 'પરિવારના સભ્યો જે માંગશે તે અમે કરીશુ. જો તેઓ અમને તેમની માંગ લેખિતમાં આપશે તો અમે આગળની પ્રક્રિયા શરૂ કરીશુ.'
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
