For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉનમાં 12 કરોડ બન્યા બેરોજગરા, સરકાર બધાને 7500 રૂપિયા આપેઃ સોનિયા ગાંધી

લૉકડાઉનમાં 12 કરોડ બન્યા બેરોજગરા, સરકાર બધાને 7500 રૂપિયા આપેઃ સોનિયા ગાંધી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર પર હુમલો બોલી દીધો છે. સોનિયા ગાંધીએ કહ્યું કે કોરોના વાયરસ વિરુદ્ધ લડાઈને લઈ મેં જે ઉકેલો આપ્યા હતા તેના પર સરકારે ભેદભાવપૂર્ણ કામ કર્યું છે. પાર્ટીના શીર્ષ પદાધિકારીઓ સાથે દિલ્હીમાં સીડબલ્યૂસીની બેઠક દરમિયાન સોનિયા ગાંધીએ કહ્યું કે કેન્દ્ર સરકારથી અપેક્ષા હતી કે તેઓ સંકટના સમયે વિશાળ દિલ રાખશે, પરંતુ આવું થતું દેખાતું નથી. અમે ત્રણ અઠવાડિયા પહેલા મુલાકાત કરી હતી, જે બાદથી અત્યાર સુધી આ મહામારી હવે ઘણી તેજીથી ફેલાઈ ચૂકી છે.

લોકોના ખાતામાં 7500 રૂપિયા નાખો

લોકોના ખાતામાં 7500 રૂપિયા નાખો

આની સાથે જ સોનિયા ગાંધીએ સરકાર સમક્ષ માંગ કરી છે કે જે લોકો લૉકડાઉન દરમિયાન બેરોજગાર થયા તેમના ખાતામાં 7500 રૂપિયા મોકલવામાં આવે. લૉકડાઉનના પહેલા તબક્કામાં 12 કરોડ લોકો બેરોજગાર થયા, જેથી આ તમામ લોકોના ખાતામાં 7500 રૂપિયા નાખવા જોઈએ. આવા સમયમાં સરકારે કરુણા, સહજતા અને વિશાળ દિલ રાખવું જોઈએ, જો કે આ થતું નથી દેખાતું. સંકટના સમયે પણ સરકારે જે પગલાં ઉઠાવ્યાં છે તે આંશિક છે. ખેડૂતો, સૂક્ષ્મ-લઘુ અને મધ્યમ ઉદ્યોગોથી જોડાયેલા લોકો માટે તત્કાળ રાહત પેકેજની ઘોષણા કરવામમાં આવે.

ભલામણ નથી માનતા

ભલામણ નથી માનતા

સોનિયા ગાંધીએ કહ્યું કે અમે મદદ માટે સકારાત્મક અને રચનાત્મક ઉકેલો આપ્યા હતા. દુર્ભાગ્યની વાત છે કે સરકારે અમારા એકપણ ઉકેલનો સ્વીકાર નથી કર્યો. સંકટના સમયે કેન્દ્ર સરકારે વિશાળ દિલ રાખવું જોઈએ, પરંતુ તે ના થયું. આની સાથે જ સોનિયા ગાંધીએ કહ્યું કે સમાજનો કેટલોક વર્ગ ખેડૂત, પ્રવાસી મજૂર, રોજમદાર મજૂર અને અસંગઠિત ક્ષેત્રના લોકો ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વેપાર, ઉદ્યોગ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે અને લોકોની આજીવિકા સંપૂર્ણપણે બરબાદ થઈ ચૂકી છે.

ટેસ્ટિંગ વધારવામાં આવે

ટેસ્ટિંગ વધારવામાં આવે

કેટલીયવાર અમે પીએમ મોદીને અપીલ કરી હતી કે ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ક્વારંટાઈનનો કોઈ વિકલ્પ નથી. દુર્ભાગ્યથી હજુ પણ ટેસ્ટિંગ બહુ ધીમું છે. ટેસ્ટિંગ કિટની કમી છે અને તેની ગુણવત્તા પણ ખરાબ છે. પીપીઈ કિટ બહુ ઓછી છે અને તેની ગુણવત્તા સારી નથી. જણાવી દઈએ કે સોનિયા ગાંધીએ પીએમ મોદીને 23 માર્ચ બાદથી કોરોના વાયરસને લઈ કેટલાય પત્ર લખ્યા છે. સોનિયા ગાંધીએ ભારતીય જનતા પાર્ટી પર પણ નિશાન સાધ્યું છે, તેમણે કહ્યું કે ભાજપ લોકોમાં સાંપ્રદાયિક બેદભાવના વાયરસનું ઝેર ભેળવી રહ્યું છે. આ બધું જ્યારે લોકોએ એકજુટ થઈ કોરોના વિરુદ્ધ લડવું જોઈએ તેવા સમયે થઈ રહ્યું છે.

સ્વાસ્થ્ય કર્મીઓના વખાણ

સ્વાસ્થ્ય કર્મીઓના વખાણ

આની સાથે જ સોનિયા ગાંધીએ કહ્યું કે કોરોના વિરુદ્ધની લડાઈના કાળમાં કેટલીક સફળ કહાનીઓ પણ છે, આપણે તેનું સ્વાગત કરવું જોઈએ. કોરોના સામેની લડાઈમાં જે લોકો સૌથી આગળ છે તેમના આપણે વખાણ કરવા જોઈએ. તમામ ઉપકરણોની કમી છતાં આ લોકો સામી છાતીએ ઉભા છે. ડૉક્ટર, નર્સ, પેરામેડિક્સ, સ્વાસ્થ્યકર્મી, સફાઈકર્મી, જરૂરી સેવાઓ પહોંચાડનારા, એનજીઓ, લાખો નાગરિકો દેશભરમાં જરૂરતમંદ લોકોની મદદ કરી રહ્યા છે. આ લોકોનું સમર્પણ અને દ્રઢ સંકલ્પ આપણને પ્રેરિત કરે છે.

Coronavirus: અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતનો રિકવરી રેટ ચિંતાજનકCoronavirus: અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતનો રિકવરી રેટ ચિંતાજનક

English summary
Sonia Gandhi hits on Modi government and praises those are fighting against coronavirus.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X