South First Pre-Poll: સીએમ પદ માટે કેસીઆર પહેલી પસંદ, જાણો સર્વેના આંકડા
Telangana Assembly Election 2023: તેલંગાણા વિધાનસભા ચૂંટણી 2023 દરમિયાન મુખ્યમંત્રી પદ માટે કેસીઆર લોકોની પ્રથમ પસંદગી છે. પ્રી-પોલ સર્વે અનુસાર, મતદારોનો મોટો વર્ગ મુખ્યમંત્રી તરીકે બીઆરએસ વડા કે. ચંદ્રશેખર રાવને પસંદ કરે છે.
સાઉથ ફર્સ્ટ-પીપલ્સ પલ્સ પ્રી-પોલ સર્વે અનુસાર, કોંગ્રેસ તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં 57-62 બેઠકોની અંદાજિત લીડ સાથે આગળ છે, જ્યારે બીઆરએસને 41-46 બેઠકોનો અંદાજ છે.

તેલંગાણામાં સર્વેક્ષણ માટે લેવામાં આવેલા મતદારોના મંતવ્યોમાંથી, લગભગ 40 ટકા ઉત્તરદાતાઓએ બીઆરએસ વડા કે. ચંદ્રશેખર રાવને તેમના મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે. જ્યારે 22 ટકા લોકોએ TPCC ચીફ એ રેવન્ત રેડ્ડીને પસંદ કર્યા અને 11 ટકા લોકોએ ભટ્ટી વિક્રમાર્કને સીએમ પદ માટે પસંદ કર્યા.
જ્યારે તેલંગાણામાં 9 ટકા ઉત્તરદાતાઓ એવા હતા કે જેઓ મુખ્યમંત્રી પદ માટે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને કરીમનગરના સાંસદ બંડી સંજયને પસંદ કરે છે. સાઉથ ફર્સ્ટ-પીપલ પલ્સ પ્રી-પોલ સર્વે અનુસાર, ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય અને હુઝુરાબાદના વિદાય લેતા ધારાસભ્ય એટાલા રાજેન્દ્રને ચાર ટકા, તેલંગાણા ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી કિશન રેડ્ડીને મુખ્યમંત્રી પદ માટે ત્રણ ટકા લોકોએ પસંદ કર્યા છે.
જ્યારે સર્વેક્ષણમાં સામેલ ત્રણ ટકા ઉત્તરદાતાઓ એવા હતા જેમણે મુખ્યમંત્રી પદ માટે બીઆરએસના કાર્યકારી પ્રમુખ કેટી રામારાવને પસંદ કર્યા હતા. સર્વેના આંકડા અનુસાર, પૂર્વ IPS અધિકારી અને તેલંગાણા BSPના વડા પ્રવીણ કુમારને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે બે ટકા લોકોએ પસંદ કર્યા છે. જ્યારે પૂછવામાં આવ્યું કે તેલંગાણામાં બીઆરએસને બીજી તક આપવી જોઈએ કે નહીં, સર્વેક્ષણમાં 47 ટકા લોકોએ તેનો ઇનકાર કર્યો. જ્યારે 41 ટકા લોકોએ કહ્યું કે બીઆરએસને બીજી તક મળવી જોઈએ. જ્યારે લગભગ 11 ટકા લોકોએ આ અંગે કોઈ જવાબ આપ્યો ન હતો.












Click it and Unblock the Notifications
