ઘાસચારા કૌભાંડ: લાલુ પ્રસાદ યાદવને શુક્રવારે મળશે સજા
ઘાસચારા કૌભાંડમાં શુક્રવારે લાલુ પ્રસાદ યાદવ સમેત 15 લોકોને રાંચીની વિશેષ અદાલત સજા સંભળાવશે. જાણો આ અંગે વધુ વિગતવાર અહીં.
ઘાસચારા કૌભાંડના દોષી તેવા લાલુ પ્રસાદ યાદવ વિરુદ્ધ આજે રાંચીની વિશેષ અદાલત ગુરુવારે સજા સંભળાવાની હતી. પણ હવે આ મામલે શુક્રવારે નિર્ણય થશે. ઉલ્લેખનીય છે કે સીબીઆઇની વિશેષ અદાલત લાલુને આ મામલે પહેલા જ દોષી જાહેર કરી ચૂકી છે. અને લાલુની સાથે આ કેસના દોષી અન્ય 15 લોકો હાલ કોર્ટમાં હાજર થઇ ગયા છે. કોર્ટમાં આજે લાલુ યાદવ અને સીબીઆઇના જજ વચ્ચે બોલચાલ પણ થઇ. નોંધનીય છે કે બુધવારે જ આ નિર્ણયની જાહેરાત થવાની હતી. પણ વરિષ્ઠ વકીલની મૃત્યુના કારણે અને શોકસભાના આયોજનને કારણે બુધવારના બદલે ગુરુવારે આ નિર્ણયની જાહેરાત કરવામાં આવે તેમ નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે આજે પણ ભલે કોર્ટે નિર્ણય ના સંભળાવ્યો હોય પણ લાલુ પ્રસાદ યાદવ સમેત તેમના સમર્થકોની મોટી ભીડ પણ કોર્ટમાં પહોંચી હતી.

નોંધનીય છે કે લાલુ પ્રસાદ યાદવ પર સીબીઆઇની વિશેષ કોર્ટે 23 ડિસેમ્બરના રોજ ઘાસચારા કૌભાંડ મામલે દેવઘર તિજોરીથી અવૈધ નિર્ગમન કરવા મામલે દોષી જાહેર કર્યા છે. લાલુ પ્રસાદ યાદવ પર કોર્ટને કલમ 420, 120 બી અને પીસી એક્ટની કલમ 13 (2) લગાવી તેમને દોષી જાહેર કર્યા છે. તેમાં લાલુ પ્રસાદ યાદવના વકીલ જ્યાં તેમને ઓછામાં ઓછી સજા મળે તે માટે પ્રયાસ કરી રહ્યા છે ત્યાં જ સીબીઆઇનો પ્રયાસ હશે કે આ મામલે તેમને વધુમાં વધુ કડક સજા સંભળાવવામાં આવે.
શું છે મામલો?
નોંધનીય છે કે વર્ષ 1994 થી 1996 વચ્ચે દેવઘર જિલ્લા તિજોરીથી ખોટી રીતે ફંડ નીકાળવામાં આવ્યું હતું. 21 વર્ષ જૂના આ મામલે સીબીઆઇએ શરૂઆતમાં 34 લોકોને આરોપી જાહેર કર્યા હતા. તેમાંથી 11 લોકોની ટ્રાયલ દરમિયાન જ મોત થઇ ગઇ હતી. બે આરોપી સરકારી ગવાહ બની નિર્ણય પહેલા જ પોતાનો દોષ સ્વીકારી લીધો હતો. લાલુ પર આરોપ હતો કે તેને આ સમગ્ર મામલાની સંપૂર્ણ પણે જાણ હતી. અને તેમ છતાં તેણે આ અંગે કોઇ કાર્યવાહી ના કરી.
ખાવાનું દુખ છે લાલુને
ઘાસચાર કૌભાંડ મામલે દોષી જાહેર થયા પછી રાંચીના બિરસા મુંડા જેલમાં મોકલવામાં આવેલ રાજદ અધ્યક્ષ લાલુ યાદવની સ્વાસ્થય અને તેમના ખાવા પીવાની સમસ્યાને લઇને તેમનો પરિવાર પહેલાથી જ ચિંતામાં છે. તેમની પત્ની અને બિહારની પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ બુધવારે જ જેલમાં લાલુને તેમનું ભાવતું મનપસંદ અરવા ચાવલ, ઘી, દાળ મોકલ્યું હતું. કારણ કે શનિવારથી લાલુ સતત જેલના ખાવાને લઇને ફરિયાદ કરી રહ્યા છે. અને બીજી તરફ લાલુના નજીકના સગાઓ તેમને જેલમાં ખાવાનું પહોંચાડી રહ્યા છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
Weather News: યુપી-દિલ્હી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી









Click it and Unblock the Notifications
