Special Trains Fare: ટ્રેન ભાડું વધારવાના સમાચારો પર રેલવેએ જવાબ આપ્યો
Special Trains Fare: ટ્રેન ભાડું વધારવાના સમાચારો પર રેલવેએ જવાબ આપ્યો
નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ તહેવારી મોસમમાં ચાલતી સ્પેશિયલ ટ્રેનોના ભાડામાં વધારાના સમાચારોનું ખંડન કર્યું છે. રેલવે મુજબ તહેવારોના સમયમાં યાત્રી ભાડામાં વધારાના સમાચારથી સંપૂર્ણપણે ભ્રામક અને ખોટા છે. જણાવી દઈએ કે અમુક મીડિયામાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે રેલવેએ તહેવારોની સીઝનમાં યાત્રીઓની મજૂરીનો ફાયદો ઉઠાવવો શરૂ કરી દીધો અને જે 392 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનું એલાન કર્યું તેના માટે ભાડામાં 10થી 30 ટકાનો વધારો કર્યો છે. પરંતુ આ સમાચાર પર રેલવેએ ત્યારે સ્પષ્ટતા આપવી પડી જ્યારે કોંગ્રેસે આ મુદ્દે સરકારને ઘેરવી શરૂ કરી દીધી હતી.

ભારતીય રેલવેએ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોના નામે ભાડું વધારવાના સમાચારો પર નિવેદન જાહેર કરી કહ્યું કે, 'ફેસ્ટિવલ સીઝનમાં રેલવે યાત્રી ભાડામાં વધારા સંબંધિત સમાચારો ભ્રામક અને ખોટા છે. નિયમો મુજબ તહેવારી, સીઝન, ગરમીઓની રજા વાળી સીઝનમાં ભારી માંગ દરમ્યાન ચાલતી ટ્રેનોના ભાડામાં અલગ હોય છે અને ટાઈમ ટેબલના હિસાબે ચાલતી નિયમિત મેલ/એક્સપ્રેસ ટ્રેનોથી વધુ હોય છે.'
જણાવી દઈએ કે રેલવેએ આ વર્ષે 0 ઓક્ટોબરથી લઈ 30 નવેમ્બર દરમ્યાન 392 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોના સંચાલનનું એલાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે તેની ઘોષણા સાથે જ એમ જણાવવામાં આવ્યું હતું કે આ ટ્રેનોનું ભાડું સ્પેશિયલ ટ્રેનોમાં લાગે તેવું જ હશે, જેથી આ ટ્રેનોનું ભાડું નિયમિત મેલ/એક્સપ્રેસ ટ્રેનોના મુકાબલે 10થી 30 ટકા વધુ હશે. તેમ છતાં જણાવવામાં આવી રહ્યું હતું કે રેલવે ફેસ્ટિવલ સ્પેશિયલના નામે યાત્રીઓથી વધુ ભાડું વસૂલી રહી છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
