Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પીએમ બનતાં જ મોદીને સુરક્ષા આપવા માટે SPG તૈયાર

નવી દિલ્હી, 15 મે: ભાજપના નેતા નરેન્દ્ર મોદીના દેશના આગામી વડાપ્રધાનમંત્રી બનવાની પ્રબલ સંભાવનાઓ વચ્ચે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી)એ પણ તેમને (નરેન્દ્ર મોદી) અને તેમના પરિવારને સુરક્ષા પુરી પાડવા માટે તૈયારી શરૂ કરી લીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 16 મે એટલે કે આવતી કાલે પરિણામોની જાહેરાત થઇ જશે અને તમામ એક્ઝિટ પોલ ભાજપને સત્તામાં પરત ફરવાના વલણ દર્શાવી રહી છે.

કેટલાક રિપોર્ટ અનુસાર, જો એનડીએની સરકાર બની અને નરેન્દ્ર મોદી વડાપ્રધાનમંત્રી બન્યા તો એસપીજી તેમના સુરક્ષા ઘેરા માટે તાત્કાલિક એક એડવાન્સ ટીમ, બુલેટપ્રુફ વ્હિકલ અને જામર મોકલી દેશે. આ પ્રકારે સુરક્ષા વ્યવસ્થા નરેન્દ્ર મોદીને અલગ રહેતી તેમની પત્ની જશોદાબેન અને માતા હિરાબેન માટે કરવામાં આવશે. એક સુરક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદી, તેમની પત્ની જશોદાબેન અને માતા હિરાબેનને લઇને એસપીજીએ ગ્રાઉડ વર્ક તૈયાર કરી લીધો છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને છે તો તેમની પત્ની હોવાના નાતે જશોદાબેન પોતાનામાં જ સ્પેશયલ પ્રોટેક્શન ગ્રુપ એટલે કે એસપીજીની સુરક્ષા મેળવવાની હકદાર બની જાય છે.

modi

એસપીજી એક્ટ અનુસાર વડાપ્રધાન, પૂર્વ વડાપ્રધાન અને તેમની પત્નીને સુરક્ષા પુરી પાડવામાં આવે છે, ભલે તેમને કોઇપણ પ્રકારનો ખતરો હોય કે ન હોય. જો ભાજપ વિજયી પક્ષના રૂપમાં ઉભરી આવે છે તો એસપીજી નરેન્દ્ર મોદીના પીએમમાં રૂપમાં જાહેર થવાની અને રાષ્ટ્રપતિના આમંત્રણની રાહ જોશે નહી. 16 મેના રોજ જ એસપીજી સ્કેલટન સુરક્ષા ટીમ મોકલી દેશે. જશોદાબેનની સુરક્ષાને લઇને અનુમાન છે કે તે બનાસકાંઠા જિલ્લામાં સ્થિત પોતાના ઘરમાં રહી શકશે નહી. આ એસપીજી પ્રોટેક્ટીના રીતે યોગ્ય નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર જશોદાબેનને જિલ્લા મુખ્યાલય કાંતો અન્ય જગ્યાએ અથવા ગાંધીનગરમાં શિફ્ટ કરવામાં આવી શકે છે. જશોદાબેનને ત્યાં શિફ્ટ કરવામાં આવશે જ્યાં એસપીજીએ યોગ્ય લાગશે. એક અધિકારીએ જણાવ્યું કે જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને છે તો એસપીજી જશોદાબેનને અન્ય જગ્યાએ શિફ્ટ કરવાને લઇને મોદી સાથે સંપર્ક કરી શકે છે. નરેન્દ્ર મોદીને એ પણ આગ્રહ કરવામાં આવી શકે છે કે તેમને ડિસ્ટ્રીક્ટ હેડક્વાર્ટર અથવા પછી ગાંધીનગરમાં શિફ્ટ કરવામાં આવી શકે છે.

ગુજરાતના વહિવટીતંત્રને પણ એમ કહેવામાં આવી શકે છે કે એસપીજીમાં સામેલ કર્મીઓને રહેવા માટે સરકારી આવાસની વ્યવસ્થા કરવામાં આવે. સુરક્ષા અધિકારીઓના અનુસાર જો કે નરેન્દ્ર મોદીની માતાની સુરક્ષાને લઇને ભારે મુશ્કેલી નથી કારણ કે તે ગાંધીનગરમાં જ રહે છે. જો કે નરેન્દ્ર મોદીના ત્રણ ભાઇઓ અને બે બહેનોને એસપીજી સુરક્ષા પુરી પાડવામાં આવશે નહી, પરંતુ ગુજરાત પોલીસને તેમણે ઝેડ શ્રેણીની સુરક્ષા પુરી પાડવા માટે કહેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીને હાલ ઝેડ પ્લ્સ સુરક્ષા મળેલી છે. એસપીજી કમાન્ડો અને ગુજરાત પોલીસના જવાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં લાગેલા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X