For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસારામ નિર્દોષ, સોનિયા-રાહુલના વિરોધની મળી સજા: ઉમા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 ઑગસ્ટ : સંત આસારામ પર લાગેલા બળાત્કારના આરોપને લઇને પોલીસ તપાસ શરૂ પણ નથી થઇ અને મધ્ય પ્રદેશની પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપીની વરિષ્ઠ નેતા ઉમા ભારતીએ તેમને ક્લીન ચિટ આપી દીધી છે. તેમણે સંત આસારામને નિર્દોષ ગણાવ્યા અને ગાંધી પરિવાર પર નિશાનો સાધતા જણાવ્યું કે સંત આસારામ બાપુ નિર્દોષ છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના વિરોધની તેમને સજા મળી છે. કોંગ્રેસ શાસિત રાજ્યમાં તેમની પર ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે સંત સમાજ તેમની સાથે છે.

જ્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે આ મામલામાં હસ્તક્ષેપ કરતા જણાવ્યું કે જો આસારામની સામે આરોપોમાં સત્યતા હશે તો કાર્યવાહી થવી જોઇએ. પોલીસ તટસ્થ તપાસ કરે અને તપાસના આધારે યોગ્ય કાર્યવાહી કરે. આની સાથે જ ગહેલોતે સંત સમાજને સલાહ આપતા જણાવ્યું કે સાધુ સંતો પોતાના વ્યવહારમાં પરિવર્તન લાવે.

asaram bapu
સંત આસારામ આશ્રમના પ્રવક્તા સુનિલ વાનખેડેએ આ મામલાને બાબાને ફંસાવવાની ચાલ ગણાવી છે. વાનખેડેએ જણાવ્યું કે મામલો ક્યાંનો છે, આરોપ લગાવનાર ક્યાંની છે, અને કેસ ક્યાં દાખલ કરવામાં આવ્યો છે, આ મામલે કાવતરાની ગંધ આવી રહી છે. તેમણે જણાવ્યું કે બાપુ પર એટલા બધા આરોપ લાગેલા છે કે બધા નિરાધાર સાબિત થયા છે. કોર્ટે તેમને હંમેશા પાક સાફ કહ્યા છે. બાપુના બધા કાર્યક્રમ યથાવત ચાલતા રહેશે.

જ્યારે કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહે આ અંગે જણાવ્યું કે આસારામ બાપુ પર જે આરોપ લાગ્યા છે તેની તપાસ થવી જોઇએ. સાથે સાથે તેમણે જણાવ્યું કે આસારામ પર આ કોઇ પહેલી વાર આરોપ નથી લાગ્યા. મામલાની કાયદાકિય તપાસ થવી જોઇએ. જોધપુરના પોલીસ કમિશ્નર બીજૂ જૉર્જ જોસેફે જણાવ્યું કે આખા મામલાની તપાસ થશે અને ફરી પૂછપરછ થશે. ત્યારબાદ જ તેમની ધરપકડ પર કોઇ નિર્ણય લેવામાં આવશે.

English summary
Spiritual leader Asaram Bapu is innocent, paying the price for opposing Sonia, Rahul: Uma Bharti
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X