For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત-પાક. મેચ નહીં યોજવા શ્રીરામ સેનાની ધમકી

|
Google Oneindia Gujarati News

shri ram sene
બેંગલૂરુ, 4 ડિસેમ્બર: શિવસેના બાદ હવે શ્રીરામ સેનાએ 25 ડિસેમ્બરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી શ્રેણીનો વિરોધ કર્યો છે. શ્રીરામ સેનાએ ધમકી આપી છે કે તેઓ 25 ડિસેમ્બરે બેંગલુરુમાં રમાનારી ટી-20 મેચને નહી થવા દઇએ. સેનાના ચિફ પ્રમોદ મુત્તાલિકે ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં પત્રકારોને જણાવ્યું કે અમે પાકિસ્તાનના ભારત પ્રવાસનો વિરોધ નોંધાવીએ છીએ.

તેમણે જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર લોકોની સુરક્ષાની જવાબદારી લેવાને બદલે મેચ કરાવી રહી છે. મુત્તાલિકે જણાવ્યું કે કર્ણાટક ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓ સાથે મુલાકાત કરી અહીં ટી-20 મેચ નહી કરાવાની માગ કરી છે.

ભારત પ્રવાસ આવી રહેલી પાકિસ્તાની ટીમ ત્રણ વનડે અને બે ટી-20 મેચ રમશે. આ સીરિઝ 25 ડિસેમ્બરથી 6 જાન્યુઆરી સુધી ચાલશે. વનડે મેચ ચેન્નાઇ, દિલ્હી અને કોલકાત્તામાં રમાશે, જ્યારે ટી-20 મેચ બેંગલુરુ અને અમદાવાદમાં રમાશે.

શ્રીરામ સેના 24 જાન્યુઆરી 2009માં એ વખતે પ્રકાશમાં આવી હતી જ્યારે તેણે બેંગલુરુના એક પબમાં છોકરીએ પર હુમલો કર્યો હતો. જોકે બાદમાં શ્રીરામ સેનાના પ્રમુખ પ્રમોદ મુત્તાલિકે તેના માટે માફી માગી લીધી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે અમારી માતા અને બહેનોની રક્ષા માટે આવું પગલું ભરવું પડ્યું હતું.

English summary
Sri Ram Sene founder Pramod Mutalik on Monday opposed the forthcoming cricket match series between India and Pakistan, citing endless terror activities from the neighbouring country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X