હજારો હત્યા, અપહરણ અને લૂટ કરવાવાળાની મૂર્તિ લાગી મંદિર માં
તમે મંદિરમાં હમેશા ભગવાનને બેઠેલા જોયા હશે અને લોકોને તેની પૂજા કરતા. પરંતુ ઉત્તર પ્રદેશ ના એક મંદિરમાં ડાકુ દદુવા અને તેમની પત્નીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના ચિત્રકૂટના નરહરિ કબ્રહામાં દસ્યુ શિવ કુમાર ઉર્ફ દદુવા અને તેમની પત્ની કેતકી દેવીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.
આટલું જ નહિ પરંતુ આ મૂર્તિની સ્થાપના નો કોઈ વિરોધ પણ થયો ના હતો. જે સમયે આ મંદિરમાં મૂર્તિની સ્થાપના થઇ રહી હતી ત્યારે મંદિરની બહાર ભારી સંખ્યામાં પોલીસ રાખવામાં આવી હતી અને ખાલી 30 મિનીટમાં મૂર્તિની સ્થાપના થઇ ગઈ. દદુવાનો જન્મ 1975 માં થયો હતો.
અહી થી જ દદુવાએ અપરાધની દુનિયાની શરૂઆત કરી હતી. દદુવાના નામ પર હજારો હત્યા, અપહરણ અને લૂટના મામલા નોધાયા છે. વર્ષ 2007 માં પોલીસ સાથેની ઝડપમાં દદુવાની મોત થઇ અને તેની સાથે તેના 6 સાથી પણ માર્યા ગયા હતા. પોલીસે દદુવા પર 5 લાખનું ઇનામ પણ રાખ્યું હતું.