'બાંગ્લાદેશીઓની ઘુસણખોરી દેશ માટે ખતરો, રોક લગાવો'
તેમણે કહ્યું કે, દેશમાં ગેરકાયદે ઘુસણખોરી, બંગલાદેશી ઘુસણખોરીઓની સમસ્યા વકરતી જાય છે. ભાજપે આ સમસ્યા વારંવાર ઉઠાવી છે. સંસદમાં અને બહાર પણ. પરંતુ સરકાર હાથ બાંધી રાખે છે. સરકાર કાર્યવાહી કરવાનું કહે છે, પણ કશું કરાતું નથી. 2001માં ડોઢ કરોડ બંગલાદેશી ઘુસણખોરો હતાં, તો આજે કેટલી સંખ્યા હશે તેનો અંદાજો લગાવી શકાય. પૂર્વોત્તર રાજ્યોમાં તો સ્થિતિ વકરતી જાય છે. ત્યાંના લોકો ચિંતાગ્રસ્ત છે. બાંગ્લાદેશી ઘુસણખોરો દેશની આંતરિક સલામતી સામે મોટી સમસ્યા છે. તમામ ગેરકાયદે ઘુસણખોરોને રાશન કાર્ડ, મતદાર કાર્ડ ન બનાવવું જોઇએ અને તેમને પાછા બંગલાદેશ મોકલવાં જોઇએ.
તેમણે વધુંમાં કહ્યું કે, માણસ છીએ, માણસ પ્રત્યે સંવેદનશીલતા બરાબર છે, પરંતુ આપણે એક દેશ પણ છીએ. દરેક દેશની સરહદ છે. નક્સલવાદ પણ દેશને પરેશાન કરી રહ્યો છે. જ્યારે ચિદમ્બરમ ગૃહ મંત્રી હતાં, ત્યારે ચુટકી વગાડી નક્સલવાદી ભગાડી મૂકીશ અને તેમના પક્ષના લોકોએ વિરોધ કર્યો કે નક્સલવાદી વિરુદ્ધ કોઈ કઠોર કાર્યવાહી ન થવી જોઇએ. તેથી જ નક્સલવાદ સામે યુપીએ નબળી કાર્યવાહી કરે છે. જ્યારે પણ દેશમાં ભાજપના નેતૃત્વ વાળી સરકાર બનશે, ત્યારે નક્સલવાદમાંથી છુટકારો અપાવવા એક્શન પ્લાન બનાવવામાં આવશે.