પાકિસ્તાનના ચાર ટુકડા કરી દેવા જોઈએઃ સુબ્રમણ્યમ સ્વામી, જણાવી રીત
પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક બાદ દરેક જણ દેશની વાયુસેનાને સેલ્યુટ કરી રહ્યુ છે.
પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક બાદ દરેક જણ દેશની વાયુસેનાને સેલ્યુટ કરી રહ્યુ છે. પાકિસ્તાન પર થયેલી આ સર્જીકલ સ્ટ્રાઈક બાદ ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને ભારતીય સેના અને સરકારને નવુ સૂચન કર્યુ છે. સ્વામીએ ટ્વીટ કરીને કહ્યુ કે આપણુ લક્ષ્ય એ હોવુ જોઈએ કે પાકિસ્તાનને ચાર ટgકડામાં વહેંચી દેવામાં આવે. સ્વામીએ કહ્યુ કે આપણે પાકિસ્તાનના ચાર ટુકડા હલાલ પ્રક્રિયાથી કરવા જોઈએ. આ પહેલા પણ સ્વામીએ સવારે એક ટ્વીટ કરીને કહ્યુ હતુ કે અમે કોઈ પણ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કર્યુ નથી.

સ્વામીએ કહ્યુ કે અમારી વાયુસેનાએ પીઓકે પર બોમ્બ ફેંક્યા છે કે જે અમારી જ જમીન છે જેને અસ્થાયી રીતે અમે પીઓકેના નામથી ઓળખીએ છીએ. માટે અમે પોતાની આત્મરક્ષામાં કોઈ પણ પ્રકારના આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કર્યુ નથી. આ સાથે જ સ્વામીએ કાશ્મીર અંગે યુએનમાં ભારતની અપીલને પાછી લઈ લેવી જોઈએ. તેમણે કહ્યુ કે મોદી સરકાર માટે આ એકદમ યોગ્ય સમય છે કે તે કાશ્મીર માટે યુએનમાં નહેરુની ગેરકાયદેસર અરજીને પાછી લઈ લે કારણકે અમારુ માનવુ છે કે આ વિવાદિત વિસ્તાર નથી.
તમને જણાવી દઈએ કે આજે સવારે લગભગ 3.30 વાગે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન સ્થિત જૈશના કેમ્પો પર હુમલો કર્યો. રિપોર્ટ્સની માનીએ તો વાયુસેનાની આ કાર્યવાહીમાં 200-300 આતંકી ઠાર મરાયા. વિદેશ મંત્રાલય તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યુ. વિદેશ સચિવ વિજય ગોખલે મીડિયા સામે આવ્યા અને તેમણે આ સર્જિકલ સ્ટ્રાઈકની જાણકારી આપી. તેમણે જણાવ્યુ કે વાયુસેનાએ પાકિસ્તાન બાલાકોટ સ્થિત જૈશ એ મોહમ્મદના કેમ્પોને નિશાન બનાવ્યા જેમાં ઘણા આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
