પાકિસ્તાનના ચાર ટુકડા કરી દેવા જોઈએઃ સુબ્રમણ્યમ સ્વામી, જણાવી રીત
પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક બાદ દરેક જણ દેશની વાયુસેનાને સેલ્યુટ કરી રહ્યુ છે.
પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક બાદ દરેક જણ દેશની વાયુસેનાને સેલ્યુટ કરી રહ્યુ છે. પાકિસ્તાન પર થયેલી આ સર્જીકલ સ્ટ્રાઈક બાદ ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને ભારતીય સેના અને સરકારને નવુ સૂચન કર્યુ છે. સ્વામીએ ટ્વીટ કરીને કહ્યુ કે આપણુ લક્ષ્ય એ હોવુ જોઈએ કે પાકિસ્તાનને ચાર ટgકડામાં વહેંચી દેવામાં આવે. સ્વામીએ કહ્યુ કે આપણે પાકિસ્તાનના ચાર ટુકડા હલાલ પ્રક્રિયાથી કરવા જોઈએ. આ પહેલા પણ સ્વામીએ સવારે એક ટ્વીટ કરીને કહ્યુ હતુ કે અમે કોઈ પણ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કર્યુ નથી.

સ્વામીએ કહ્યુ કે અમારી વાયુસેનાએ પીઓકે પર બોમ્બ ફેંક્યા છે કે જે અમારી જ જમીન છે જેને અસ્થાયી રીતે અમે પીઓકેના નામથી ઓળખીએ છીએ. માટે અમે પોતાની આત્મરક્ષામાં કોઈ પણ પ્રકારના આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કર્યુ નથી. આ સાથે જ સ્વામીએ કાશ્મીર અંગે યુએનમાં ભારતની અપીલને પાછી લઈ લેવી જોઈએ. તેમણે કહ્યુ કે મોદી સરકાર માટે આ એકદમ યોગ્ય સમય છે કે તે કાશ્મીર માટે યુએનમાં નહેરુની ગેરકાયદેસર અરજીને પાછી લઈ લે કારણકે અમારુ માનવુ છે કે આ વિવાદિત વિસ્તાર નથી.
તમને જણાવી દઈએ કે આજે સવારે લગભગ 3.30 વાગે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન સ્થિત જૈશના કેમ્પો પર હુમલો કર્યો. રિપોર્ટ્સની માનીએ તો વાયુસેનાની આ કાર્યવાહીમાં 200-300 આતંકી ઠાર મરાયા. વિદેશ મંત્રાલય તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યુ. વિદેશ સચિવ વિજય ગોખલે મીડિયા સામે આવ્યા અને તેમણે આ સર્જિકલ સ્ટ્રાઈકની જાણકારી આપી. તેમણે જણાવ્યુ કે વાયુસેનાએ પાકિસ્તાન બાલાકોટ સ્થિત જૈશ એ મોહમ્મદના કેમ્પોને નિશાન બનાવ્યા જેમાં ઘણા આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા.
-
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
