Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હિંદ મહાસાગરમાંથી અચાનક પ્રગટ થયો સોનાનો રથ, લોકોના ટોળા ઉમટ્યા, જાણો શું છે હકિકત?

મંગળવારે સાંજે આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના સુન્નાપલ્લી ખાતે બીચ નજીકના લોકો જ્યારે અચાનક સોનાના રંગનો રથ સમુદ્રમાં જોયો ત્યારે તેઓ દંગ રહી ગયા.

વિશાખાપટ્ટનમ, 11 મે : મંગળવારે સાંજે આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના સુન્નાપલ્લી ખાતે બીચ નજીકના લોકો જ્યારે અચાનક સોનાના રંગનો રથ સમુદ્રમાં જોયો ત્યારે તેઓ દંગ રહી ગયા. સમુદ્રમાં સોના જેવો દેખાતો આ રથ કિનારા તરફ આગળ વધી રહ્યો હતો અને લોકોએ આ રહસ્યમય રથને જોતા જ તેને દોરડાથી બાંધીને કિનારે લાવ્યા હતા.

સમુદ્રમાંથી સુવર્ણ રથ નીકળ્યો

સમુદ્રમાંથી સુવર્ણ રથ નીકળ્યો

સુન્નાપલ્લી બીચ પર હાજર સ્થાનિક લોકોએ દોરડાની મદદથી રથને બાંધ્યો અને કિનારે લાવ્યા. આ રથ એકદમ સોનાનો લાગતો હતો. જો કે આ રથ દરિયામાં વહેતી વખતે ક્યાંથી આવ્યો તે હાલ કોઈ જાણી શક્યું નથી, પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ રથ દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોના કોઈ મઠમાંથી આવ્યો હોઈ શકે છે. રિપોર્ટ અનુસાર એવી સંભાવના છે કે ચક્રવાતને કારણે આ રથ સમુદ્રમાં વહીને સુન્નાપલ્લી કિનારે પહોંચી ગયો હશે. જોકે, હજુ સુધી કોઈ નિષ્કર્ષ પર પહોંચી શક્યું નથી.

રહસ્યમય રથ ક્યાંથી આવ્યો?

રહસ્યમય રથ ક્યાંથી આવ્યો?

સ્થાનિક નાવિકોનું અનુમાન છે કે ચક્રવાતની અસરથી ઉત્પન્ન થયેલા ભરતીના મોજાઓને કારણે રથ કિનારે પહોંચવા લાગ્યો હોવો જોઈએ અને સ્થાનિક લોકોએ તેને જોયો, તેથી તેને દોરડાથી બાંધીને કિનારે લાવ્યા. સાથે સાથે આજુબાજુના ગામડાઓમાંથી પણ મોટી સંખ્યામાં લોકો સુવર્ણ રથની ઝલક મેળવવા કિનારે પહોંચી રહ્યા છે અને આ રથ લોકો માટે કુતૂહલનું કારણ બન્યો છે. દક્ષિણ આંદામાન સમુદ્ર પર લો પ્રેસર હોવાથી એવી શક્યતા છે કે મ્યાનમાર, થાઇલેન્ડ, મલેશિયા અથવા ઇન્ડોનેશિયા જેવા આંદામાન સમુદ્રની નજીકના દેશમાંથી મોજાઓ દ્વારા રથને અંદર ખેંચવામાં આવ્યો હશે. જો કે, અત્યાર સુધી આ માત્ર અનુમાન છે અને આ રહસ્યમય રથ ક્યાંથી પહોંચ્યો છે, તે અંગે ચોક્કસ કહી શકાય નહીં.

રથ મુદ્દે વિવિધ મંતવ્યો

રથ મુદ્દે વિવિધ મંતવ્યો

આ રહસ્યમય રથ સુન્નાપલ્લીના લોકો માટે કુતૂહલનો વિષય છે અને દરિયામાંથી નીકળેલા આ રથને જોવા માટે સેંકડો લોકો પહોંચી રહ્યા છે. તે જ સમયે, ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, સંતબોમાલીના તહસીલદાર જે ચલમૈયાએ અનુમાન લગાવ્યું છે કે, આ રથ અન્ય કોઈ દેશમાંથી આવ્યો ન હોઈ શકે, પરંતુ તેમણે કહ્યું કે, 'અમને શંકા છે કે રથનો ઉપયોગ ભારતીય દરિયાકાંઠે કોઈ ફિલ્મ માટે કરવામાં આવ્યો હશે. ભરતીની ગતિવિધિએ તેને શ્રીકાકુલમ કિનારે પહોંચાડ્યો હશે.

રથ મંદિર જેવો દેખાય છે

એશિયાનેટ ન્યૂઝના અહેવાલ મુજબ, આ રથ મંદિરના આકારમાં છે અને ખૂબ જ ભવ્ય અને સોના જેવો દેખાય છે. સાથે જ દરિયામાંથી રથ નીકળ્યાના સમાચાર આસપાસના વિસ્તારમાં ફેલાતા લોકોમાં ધાર્મિક લાગણીનું મોજું ફરી વળ્યું છે અને સેંકડો લોકો રહસ્યમય રથને જોવા માટે પહોંચી રહ્યા છે. તેનું સ્થાપત્ય પ્રાચીન બાંધકામો જેવું લાગે છે. જો કે હજુ સુધી આ રહસ્યમય રથ વિશે ચોક્કસ કહી શકાય તેમ નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X