કેરળમાં કોરોના કાબૂ કરવા આરોગ્ય મંત્રાલયનું સંપુર્ણ લોકડાઉનનું સૂચન-સૂત્રો
કેરળમાં કોરોનાના વધી રહેલા કેસ રાજ્ય સરકારની ચિંતા વધારી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી કેરળમાં 30 હજારથી વધુ નવા દર્દીઓ નોંધાઈ રહ્યા છે.
કેરળમાં કોરોનાના વધી રહેલા કેસ રાજ્ય સરકારની ચિંતા વધારી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી કેરળમાં 30 હજારથી વધુ નવા દર્દીઓ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન કડક પ્રતિબંધો સાથે કેરળમાં સંપૂર્ણ લોકડાઉન લાદવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આરોગ્ય મંત્રાલયના સૂત્રોએ કહ્યું છે કે જો કેરળમાં કડક લોકડાઉન લાગુ કરવામાં આવે તો સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં કેસ ઘટી શકે છે.
આરોગ્ય
મંત્રાલયના
અધિકારીઓએ
કહ્યું
છે
કે
કેરળમાં
જ્યાં
સંક્રમણ
વધારે
છે
તેવા
વિસ્તારોને
બંધ
કરવા
સિવાય
બીજો
કોઈ
રસ્તો
નથી.
આ
સિવાય
કેરળનો
પોઝિટિવિટી
રેટ
પણ
ખૂબ
ઉંચો
છે
તેથી
કડક
લોકડાઉન
લાગુ
કરવામાં
આવે
તો
જ
દર્દીઓની
સંખ્યા
ઘટી
શકે
છે.
આ
ઉપરાંત
અસરગ્રસ્ત
વિસ્તારોમાં
રાત્રિ
કર્ફ્યુ
પણ
લાદવો
જોઈએ,
જેથી
તહેવારને
ધ્યાનમાં
રાખીને
ચેઈન
તોડી
શકાય.
તમને
જણાવી
દઈએ
કે
કેરળમાં
સંક્રમણ
અંદાજ
આ
આંકડા
પરથી
લગાવી
શકાય
છે
કે
જુલાઈમાં
કોરોનાના
સરેરાશ
13,500
કેસ
પ્રતિદિન
આવતા
હતા,
જ્યારે
ઓગસ્ટમાં
તે
વધીને
19,500
થઈ
ગયા
હતા.
કેરળમાં
હાલની
સ્થિતિ
એવી
છે
કે
દેશમાં
નોંધાતા
કુલ
દર્દીઓમાં
અડધા
કેરળના
છે.
મંગળવારે પણ કેરળમાં કોરોનાના 30 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા. મંગળવારે રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 30,203 નવા કેસ નોંધાયા હતા અને આ સમયગાળા દરમિયાન 115 દર્દીઓના મોત થયા હતા. હવે રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 40,57,233 થઈ ગઈ છે, જ્યારે મૃતકોની સંખ્યા વધીને 20,788 થઈ ગઈ છે.