જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે લગાવ્યો આપ મંત્રીને 10 કરોડ આપ્યાનો આરોપ
આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને 10 કરોડ રૂપિયા પ્રોટેક્શન મનીના રૂપમાં આપ્યા છે. રાજ્યપાલે આ પત્રને ગંભીરતાથી લઇને આ સમગ્ર ઘટનાની તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે આમ આદમી પાર્ટી પર મોટો આરોપ લગાવ્યો છે. સુકેશ ચંદ્રશેખરે દિલ્હીના ઉપરાજ્યપાલને પત્ર લખીને દાવો કર્યો છે કે, આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને 10 કરોડ રૂપિયા પ્રોટેક્શન મનીના રૂપમાં આપ્યા છે.

રાજ્યપાલે આ પત્રને ગંભીરતાથી લઇને આ સમગ્ર ઘટનાની તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, વર્તમાન સમયમાં સત્યેન્દ્ર જૈન તિહાડ જેલમાં બંધ છે, જ્યાથી કોઇ ઓફિસિયલ સ્ટેટમેન્ટ સામે આવ્યું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુકેશ ચંદ્રશેખર વતી તેમના વકીલે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી. કે. સક્સેનાને એક પત્ર સોંપ્યો છે. આ પત્રમાં સુકેશે જણાવ્યું હતું કે, તેને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.
સુકેશે પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, તેણે તિહાડમાં પ્રોટેક્શન મની આપી છે. ઉલ્લેખનીય છે કે, સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગ સાથે જોડાયેલા કેસમાં તિહાડ જેલમાં બંધ છે. સુકેશ ચંદ્રશેખરનો આરોપ છે કે, સત્યેન્દ્ર જૈનને ડીજી જેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટ્સનો ઉલ્લેખ કરતા ભાજપ નેતા અમિત માલવિયાએ જણાવ્યું હતું કે, એલજી વી. કે. સક્સેનાને લખેલા પત્રમાં સુકેશ ચંદ્રશેખર વતી કહેવામાં આવ્યું છે કે, તેઓ AAP નેતાને 2015 થી ઓળખે છે. આ પત્રમાં વધુમાં જણાવાયું છે કે, દક્ષિણ ભારતમાં આમ આદમી પાર્ટીમાં મુખ્ય પદ આપવાનું વચન આપ્યા બાદ તેણે 50 કરોડ રૂપિયા આપ્યા હતા.
સુકેશે કહ્યું કે, વર્ષ 2017માં મારી ધરપકડ બાદ હું તિહાડ જેલમાં કેદ હતો અને સત્યેન્દ્ર જૈનને ઘણી વખત મળ્યો હતો. તેમના સેક્રેટરીએ મને પ્રોટેક્શન મની તરીકે દર મહિને 2 કરોડ રૂપિયા આપવાનું કહ્યું હતું. એવી પણ ચર્ચા છે કે, આ પત્ર ચંદ્રશેખરે પોતાના હાથે લખ્યો છે, જે એલજીને મોકલવામાં આવ્યો છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
