જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે લગાવ્યો આપ મંત્રીને 10 કરોડ આપ્યાનો આરોપ
આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને 10 કરોડ રૂપિયા પ્રોટેક્શન મનીના રૂપમાં આપ્યા છે. રાજ્યપાલે આ પત્રને ગંભીરતાથી લઇને આ સમગ્ર ઘટનાની તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરે આમ આદમી પાર્ટી પર મોટો આરોપ લગાવ્યો છે. સુકેશ ચંદ્રશેખરે દિલ્હીના ઉપરાજ્યપાલને પત્ર લખીને દાવો કર્યો છે કે, આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને 10 કરોડ રૂપિયા પ્રોટેક્શન મનીના રૂપમાં આપ્યા છે.

રાજ્યપાલે આ પત્રને ગંભીરતાથી લઇને આ સમગ્ર ઘટનાની તપાસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, વર્તમાન સમયમાં સત્યેન્દ્ર જૈન તિહાડ જેલમાં બંધ છે, જ્યાથી કોઇ ઓફિસિયલ સ્ટેટમેન્ટ સામે આવ્યું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુકેશ ચંદ્રશેખર વતી તેમના વકીલે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી. કે. સક્સેનાને એક પત્ર સોંપ્યો છે. આ પત્રમાં સુકેશે જણાવ્યું હતું કે, તેને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.
સુકેશે પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, તેણે તિહાડમાં પ્રોટેક્શન મની આપી છે. ઉલ્લેખનીય છે કે, સત્યેન્દ્ર જૈન મની લોન્ડરિંગ સાથે જોડાયેલા કેસમાં તિહાડ જેલમાં બંધ છે. સુકેશ ચંદ્રશેખરનો આરોપ છે કે, સત્યેન્દ્ર જૈનને ડીજી જેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટ્સનો ઉલ્લેખ કરતા ભાજપ નેતા અમિત માલવિયાએ જણાવ્યું હતું કે, એલજી વી. કે. સક્સેનાને લખેલા પત્રમાં સુકેશ ચંદ્રશેખર વતી કહેવામાં આવ્યું છે કે, તેઓ AAP નેતાને 2015 થી ઓળખે છે. આ પત્રમાં વધુમાં જણાવાયું છે કે, દક્ષિણ ભારતમાં આમ આદમી પાર્ટીમાં મુખ્ય પદ આપવાનું વચન આપ્યા બાદ તેણે 50 કરોડ રૂપિયા આપ્યા હતા.
સુકેશે કહ્યું કે, વર્ષ 2017માં મારી ધરપકડ બાદ હું તિહાડ જેલમાં કેદ હતો અને સત્યેન્દ્ર જૈનને ઘણી વખત મળ્યો હતો. તેમના સેક્રેટરીએ મને પ્રોટેક્શન મની તરીકે દર મહિને 2 કરોડ રૂપિયા આપવાનું કહ્યું હતું. એવી પણ ચર્ચા છે કે, આ પત્ર ચંદ્રશેખરે પોતાના હાથે લખ્યો છે, જે એલજીને મોકલવામાં આવ્યો છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
