For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ વખતે પડશે ભીષણ ગરમી, હવામાન વિભાગે આપી માહિતી, રાખો આ સાવચેતી

એપ્રિલ આવતા જ લોકોને ગરમીની તીવ્રતાનો અનુભવ થવા લાગ્યો છે અને આ તીવ્રતા આ વખતે કંઈક વધુ જ થવાની છે.

|
Google Oneindia Gujarati News

એપ્રિલ આવતા જ લોકોને ગરમીની તીવ્રતાનો અનુભવ થવા લાગ્યો છે અને આ તીવ્રતા આ વખતે કંઈક વધુ જ થવાની છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર એપ્રિલથી જૂન વચ્ચે મધ્ય અને ઉત્તર ભારતમાં સરેરાશ તાપમાન અડધા ડિગ્રી સેલ્સિયસ સુધી વધુ રહી શકે છે. હવામાન વિભાગે કહ્યુ છે કે રાજસ્થાનના પશ્ચિમી ભાગમાં આ વખતે પહેલાથી વધુ ગરમી હશે અને ભીષણ ગરમીના કારણે આ વખતે 'લૂ'ની સ્થિતિ પણ ગંભીર રહેવાની છે.

આ વખતે વધુ હેરાન કરશે ગરમી

આ વખતે વધુ હેરાન કરશે ગરમી

હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર હરિયાણા, ચંદીગઢ, દિલ્લી, પૂર્વી અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પૂર્વી અને પશ્ચિમી રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ, મરાઠાવાડા, કોસ્ટલ કર્ણાટક, ઉત્તર કર્ણાટક, ઉત્તર કર્ણાટકના અંદરના ભાગો, રાયલસીમા અને તેલંગાનામાં એપ્રિલથી જૂન દરમિયાન ભીષણ દરમી પડશે એટલા માટે લોકોને ઘણા સતર્ક રહેવાની જરૂર છે. હવામાન વિભાગે જણાવ્યુ કે પશ્ચિમી રાજસ્થાનમાં હવામાન લઘુત્તમ તેમજ સરેરાશ તાપમાન સામાન્યથી એક ડિગ્રી સેલ્સિયસ વધુ રહેવાનું અનુમાન છે.

ગરમીમાં બિમારી થવાના મુખ્ય કારણ

ગરમીમાં બિમારી થવાના મુખ્ય કારણ

ગરમીના દિવસોમાં ખુલ્લા શરીરે ચાલવુ અને ભાગદોડ કરવુ.

ભીષણ ગરમીમાં ઘરેથી ખાલી પેટ એટલે કે ભૂખ્યા તરસ્યા બહાર જવુ.

તડકામાંથી આવીને તરત જ ઠંડુ પાણી કે અન્ય ઠંડા પદાર્થોનું સેવન કરવુ.

તડકામાંથી આવીને સીધા કૂલર કે એસીમાં બેસવુ કે ઉઠીને તડકામાં જવુ.

ભયંકર ગરમીમાં પણ સિન્થેટીકના વસ્ત્રો પહેરવા.

તેલ-મસાલાવાળા, ગરમ મસાલા, ખૂબ ગરમ ભોજન, વધુ ચા કે દારૂનું સેવન કરવુ.

લૂ લાગવાથી મૃત્યુ કેમ થાય છે?

લૂ લાગવાથી મૃત્યુ કેમ થાય છે?

આપણા શરીરનું તાપમાન હંમેશા 37° ડિગ્રી સેલ્સિયસ હોય છે, આ તાપમાન પર જ આપણા શરીરના બધા અંગ યોગ્ય રીતે કામ કરી શકે છે. પરસેવા રૂપે પાણી બહાર નીકળીને શરીર 37° સેલ્સિયસ તાપમાન જાળવી રાખે છે. સતત પરસેવો નીકળતી વખતે પણ પાણી પીતા રહેવુ જરૂરી છે. પાણી શરીરમાં આ ઉપરાંત પણ ઘણા કામ કરે છે પરંતુ જ્યારે બહારનું તાપમાન 45° ડિગ્રીને પાર થઈ જાય અને શરીરની કૂલિંગ વ્યવસ્થા ઠપ્પ થઈ જાય તો લોહી ગરમ થવા લાગે છે અને લોહીમાં ઉપસ્થિત પ્રોટીન ઉકળવા લાગે છે કે જે હાનિકારક હોય છે જેનાથી શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે અને જ્યારે આ સ્થિતિ વધુ ઝડપી બની જાય ત્યારે વ્યક્તિનું શરીર જવાબ આપી દે છે અને તેનુ મોત થઈ જાય છે.

રાખો આ સાવચેતીઓ

રાખો આ સાવચેતીઓ

ડૉક્ટરો અનુસાર આપણે પ્રાકૃતિક વસ્તુઓને બદલી તો ન શકીએ પરંતુ અમુક સાવચેતીઓ દ્વારા આપણે તેનાથી પોતાને બચાવી શકીએ છીએ. એટલા માટે ડૉક્ટરોએ અમુક ઉપાયો બતાવ્યા છે જેના દ્વારા આપણે પોતાનો બચાવ ‘લૂ'થી કરી શકીએ છીએ.

ગરમીમાં વધુ ભારે તેમજ વાસી ભોજન ન કરો કારણકે ગરમીમાં શરીરની જઠરાગ્નિ મંદ રહે છે.

ગરમીમાં જ્યારે પણ ઘરમાંથી બહાર નીકળો ત્યારે કંઈક ખાઈને અને પાણી પીને જ નીકળો, ખાલી પેટ ના નીકળો.

રોજ 4 થી 5 લિટરપાણીનુ સેવન કરો.

બજારના ઠંડી વસ્તુઓ નહિ પરંતુ ઘરની બનેલી ઠંડી વસ્તુઓનું સેવન કરવુ જોઈએ.

કેરીનો રસ, ખસ, ચંદન, ગુલાબ, ફાલસા, સંતરાનો રસ, સત્તુ, દહીંની લસ્સી, મઠો, ગુલકંદનું સેવન કરવુ જોઈએ.

લીલી અને તાજી શાકભાજીઓનું સેવન કરવુ જોઈએ.

સફેદ ડુંગળીનું સેવન તથા બહાર નીકળતી વખતે ડુંગળી સાથે રાખવી જોઈએ.

સુતરાઉ કપડા પહેરીને બહાર નીકળવુ જોઈએ. માથુ હંમેશા કપડાથી બાંધીને રાખવુ જોઈએ.

આંખોને તડકાથી બચાવવા માટે ચશ્મા પહેરીને બહાર નીકળો.

બહારની વસ્તુઓ ખાવાનું ટાળો.

આ પણ વાંચોઃ શું કોંગ્રેસ પક્ષથી નારાજ છે નવજોત સિદ્ધુ, 20 દિવસથી બંધ છે કામ, સામે આવ્યુ કારણઆ પણ વાંચોઃ શું કોંગ્રેસ પક્ષથી નારાજ છે નવજોત સિદ્ધુ, 20 દિવસથી બંધ છે કામ, સામે આવ્યુ કારણ

English summary
This year’s summer will be hotter with severe heatwaves, the India Meteorological Department said in its seasonal prediction.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X