સુનંદા પુષ્કર કેસઃ દિલ્લી પોલિસે કોર્ટને શશિ થરુર પર આરોપ નક્કી કરવાની કરી માંગ
સુનંદા પુષ્કરના શંકાસ્પદ મોત કેસમાં દિલ્લી પોલિસે તેમના પતિ કોંગ્રેસ શશિ થરુર સામે આઈપીસી સેક્શન 498એ અને 306 હેઠળ આરોપ નક્કી કરવાની ભલામણ કરી છે.
સુનંદા પુષ્કરના શંકાસ્પદ મોત કેસમાં દિલ્લી પોલિસે તેમના પતિ કોંગ્રેસ શશિ થરુર સામે આઈપીસી સેક્શન 498એ અને 306 હેઠળ આરોપ નક્કી કરવાની ભલામણ કરી છે. સુનંદા પુષ્કર કેસમાં શનિવારે કોર્ટ શશિ થરુર સામે આરોપો પર સુનાવણી કરી રહ્યુ છે. પોલિસ આ કેસમાં થરુર સામે 498એ અને કલમ 306 હેઠળ કેસ નોંધ્યો છે. હાલમાં તે જામીન પર છે. દિલ્લી પોલિસે થરુર પર સુનંદાના ઉત્પીડન (498એ) આત્મહત્યા માટે ઉકસાવવા (306) હેઠળ આરોપ નક્કી કરવાની અપીલ કરી. શનિવારે સુનંદાના ભાઈ આશીષ દાસે કોર્ટમાં પોતાનુ નિવેદન નોંધાવ્યુ છે. દાસે નિવેદનમાં કહ્યુ, મારી બહેન લગ્નથી ખુશ હતી પરંતુ તેના મોત પહેલા થોડા દિવસ મે તેને હેરાન જોઈ હતી. આ બધા છતા હું એ માની નહોતો શકતો તે આત્મહત્યા કરી શકે છે. કોર્ટ શશિ થરુર સામે આરોપો પર 17 ઓક્ટોબરના રોજ સુનાવણી ચાલુ રાખશે.

શશિથરુરના વકીલ પી પહવાએ કહ્યુ છે કે પ્રોસેક્યુટરે જે વાતો કોર્ટમાં કહી છે તેના ઘણા તથ્યો ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા. ઘણી વસ્તુઓને જાણી જોઈને છૂપાવવામાં આવી છે. પરિવારના સભ્યોના નિવેદનોમાં પણ કંઈ નથી. આગામી તારીખ પર અમે અમારા વાંધા દર્શાવીશુ અને દરેક પોઈન્ટ પર ચર્ચા કરીશુ. દિલ્લી પોલિસે ઘઈ સુનાવણીમાં કોર્ટમાં જણાવ્યુ કે કથિત રીતે આત્મરહત્યા કરનારી સુનંદા પુષ્કર પોતાના પતિ અને કોંગ્રેસ નેતા શશિ થરુર સાથે તણાવપૂર્ણ સંબંધોના કારણે માનસિક પીડામાંથી પસાર થઈ રહી હતી.
પોલિસે થરુર પર સુનંદાને હેરાન કરવાનો આરોપ લગાવ્યો જેણે તેને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી. સુનાવણી દરમિયાન વકીલે કોર્ટેને જણાવ્યુ કે સુનંદા પુષ્કરના પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ તેના શરીર પર ઈજાના નિશાન હતા. એ પણ જણાવવામાં આવ્યુ કે એમ્સના રિપોર્ટ મુજબ સુનંદાના મોતનું કારણ ઝેર હતુ. આ ઈજાનુ કારણ મારામારી હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે પૂર્વ કેન્દ્રીય મંત્રી શશિ થરુરની પત્ની સુનંદા 17 જાન્યુઆરી, 2014ના રોજ દિલ્લીની ચાણક્યપુરીમાં ફાઈવ સ્ટાર હોટલના એક રૂમમાં શંકાસ્પદ હાલતમાં મૃત મળી આવી હતી.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
