આર્યન ખાન મામલે લાગેલા આરોપો પર સુનીલ પાટિલે આપી સફાઈ, કહ્યુ - હું તો અમદાવાદમાં હતો
એનસીપીના સભ્ય સુનીલ પાટિલ જ આ સમગ્ર કેસનો માસ્ટર માઈન્ડ છે મામલે હવે સુનીલ પાટિલે મૌન તોડીને આના પર સફાઈ આપી છે.
મુંબઈઃ મુંબઈમાં ક્રૂઝ ડ્ર્ગ પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટીના નેતા મોહિત કંબોજ ભરતીયાએ એનસીબી પર નિશાન સાધીને કહ્યુ કે એનસીપીના સભ્ય સુનીલ પાટિલ જ આ સમગ્ર કેસનો માસ્ટર માઈન્ડ છે. આ સમગ્ર મામલે હવે સુનીલ પાટિલે મૌન તોડીને આના પર સફાઈ આપી છે. સુનીલ પાટિલે કહ્યુ કે ક્રૂઝ ડ્રગ પાર્ટી મામલે ટિપ મારી પાસે નહોતી આવી. હું 1થી 4 ઓક્ટોબર સુધી અમદવાદમાં હતો મને રાતે 2.30 વાગે કિરણ ગોસાવીએ ફોટો મોકલ્યો ત્યારે મને ખબર પડી કે આ શાહરુખ ખાનનો છોકરો છે.

મોહિત કંબાજો આરોપ લગાવ્યો છે કે સુનીલ પાટિલે જ કિરણ ગોસાવીનો નંબર સેમ ડિસૂઝાને આપ્યો હતો અને કહ્યુ હતુ કે આ કેસમાં ગોસાવી એનસીબીની મદદ કરશે. તમને જણાવી દઈએ કે એનસીબી સામે ભ્રષ્ટાચાર મામલે સુનીલ પાટિલનુ નામ સામે આવ્યુ હતુ. મોહિત કંબોજે આ સમગ્ર મામલે પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યુ હતુ કે તે આ સમગ્ર મામલે પુરાવા સાથે પરદાફાશ કરે. વાસ્તવમાં આર્યન ખાન કેસમાં એનસીપીના નેતા નવાબ મલિક સતત એનસીબી પર નિશાન સાધી રહ્યા છે અને આ સમગ્ર કેસને નકલી ગણાવી રહ્યા છે.
મોહિત કંબોજે આરોપ લગાવ્યો છે કે આ સમગ્ર કેસના માસ્ટરમાઈન્ડ સુનીલ પાટિલ છે. તેને શરૂઆતથી જ એનસીપી સાથે સંબંધ છે. તે એનસીબીના સભ્ય છે. તે ધૂલેથી આવે છે, તે એનસીપી સાથે છેલ્લા 20 વર્ષથી જોડાયેલો છે. એટલુ જ નહિ સુનીલ પાટિલ ઋષિકેશ દેશમુખનો ખાસ દોસ્ત છે કે જે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અનિલ દેશમુખનો દીકરો છે જની હાલમાં જ ધરપકડ કરવામાં આવી છે. વળી, નવાબ મલિકે કહ્યુ કે સમીર વાનખેડેની પ્રાઈવેટ આર્મી લોકોને ગુમરાહ કરીને કેસથી લોકોનુ ધ્યાન ભટકાવવાની કોશિશ કરી રહી છે.












Click it and Unblock the Notifications
