ક્રિપ્ટો ચલણ પર આરબીઆઈના પ્રતિબંધને સુપ્રીમે કર્યો રદ, બિટકોઇનનો ઉપયોગ થઇ શકે છે શરૂ
ક્રિપ્ટો ચલણ અંગે આજે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ક્રિપ્ટો ચલણના વ્યવહાર પર લાદવામાં આવેલ પ્રતિબંધને કોર્ટે હટાવી દીધો છે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પ
ક્રિપ્ટો ચલણ અંગે આજે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય આપ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ક્રિપ્ટો ચલણના વ્યવહાર પર લાદવામાં આવેલ પ્રતિબંધને કોર્ટે હટાવી દીધો છે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી, બિટકોઇનમાં ટ્રેંડીંગ થઈ શકે છે. એપ્રિલ 2018 માં, ક્રિપ્ટો ચલણ સામે કડક પગલાં લેતા રિઝર્વ બેંકે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ હવે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે.
નોંધનીય છે કે એપ્રિલ 2018 માં, ભારતીય રિઝર્વ બેંકે ક્રિપ્ટો ચલણના વેપાર પર પ્રતિબંધ મૂકતા એક પરિપત્ર બહાર પાડ્યો હતો. જે બાદ ઈન્ટરનેટ અને મોબાઈલ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને આરબીઆઈના પરિપત્રને પડકાર્યો છે. આ અરજીની સુનાવણી કરતાં જસ્ટિસ રોહિન્ટન નરીમાનની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ પ્રતિબંધ હટાવ્યો હતો. ખંડપીઠમાં જસ્ટિસ અનિરૂધ બોઝ અને વી.રામસુબ્રમણિયનનો પણ સમાવેશ હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી બેન્કો બિટકોઇન જેવી ક્રિપ્ટોક્યુરન્સીમાં વ્યવહાર શરૂ થઇ શકે છે.
કોર્ટની સુનાવણી દરમિયાન આઈએએમએઆઈએ જણાવ્યું હતું કે આરબીઆઈના નિર્ણય પછી ક્રિપ્ટોકરન્સીના કાયદેસરના વ્યવસાય પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આરબીઆઈએ આ સંદર્ભમાં એફિડેવિટ ફાઇલ કરીને કોર્ટને જવાબ આપ્યો. જેમાં એવું કહેવામાં આવે છે કે ક્રિપ્ટોકરન્સી દ્વારા મની લોન્ડરિંગ અને આતંકવાદી ધિરાણનું જોખમ છે, તેથી જ આ પગલું લેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ઈટલીના 21 નાગરિકોને હોટલથી આઈસોલેશન સેન્ટર મોકલ્યા