સુપ્રીમ કોર્ટે પી ચિદમ્બરની જામીન અરજી પર ચુકાદો સુરક્ષિત રાખ્યો
આઈએનએક્સ મીડિયા સાથે જોડાયેલા મની લૉંડ્રિંગ કેસમાં સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ સાંસદ પી ચિદમ્બરમની જામીન અરજી પર ચુકાદો સુરક્ષિત રાખી લેવામાં આવ્યો છે.
આઈએનએક્સ મીડિયા સાથે જોડાયેલા મની લૉંડ્રિંગ કેસમાં સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ સાંસદ પી ચિદમ્બરમની જામીન અરજી પર ચુકાદો સુરક્ષિત રાખી લેવામાં આવ્યો છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિદમ્બરમની અરજી પર સુનાવણી થઈ. સીબીઆઈ તરફથી લૉલિસિટર જનરલ તુષાર મહેતા અને ચિદમ્બરમ તરફથી વકીલ કપિલ સિબ્બલે ચર્ચા કરી. બંને પક્ષોને સાંભળ્યા બાદ અદાલતે ચુકાદો સુરક્ષિત રાખી લીધો.

ચિદમ્બરમે 21 ઓગસ્ટના રોજ સીબીઆઈએ ધરપકડ કરી હતી. નીચલી અદાલતે તેમને જેલ મોકલી દીધા હતા. ત્યારબાદ ચિદમ્બરમે દિલ્લી હાઈકોર્ટમાં જામીન માટે અરજી આપી હતી. દિલ્લી હાઈકોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. દિલ્લી હાઈકોર્ટે જામીન અરજી ફગાવવાના ચુકાદાને ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
પી ચિદમ્બરમ સીબીઆઈની કસ્ટડીમાં તિહાર જેલમાં છે. સીબીઆઈએ 21 ઓગસ્ટના રોજ પી ચિદમ્બરમને દિલ્લી સ્થિત તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ચિદમ્બરમ જેલમાં છે. 2007માં પી ચિદમ્બરમના નાણામંત્રી રહેતા આઈએનએક્સ મીડિયા ગ્રુપને 305 કરોડ રૂપિયાનુ વિદેશી ધન મેળવવા માટે વિદેશી રોકાણ સંવર્ધન બોર્ડની મંજૂરીમાં અનિયમિતતા વર્તવાનો આરોપ છે. આ કેસમાંધરપકડ કરાયેલ પી ચિદમ્બરમ હાલમાં જેલમાં છે. આ કેસમાંતેમના પુત્ર કાર્તિચિદમ્બરમ પણ આરોપી છે, તે પણ આ કેસમાં જેલમાં રહી ચૂક્યા છે અને હાલમાં જામીન પર છે.












Click it and Unblock the Notifications
