Same-sex marriage અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું, દરેકને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર
Same-sex marriage supreme court verdict: સમલૈંગિક લગ્ન કાયદેસર છે કે, ગેરકાયદેસર છે તે અંગે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપી રહી છે. ગે લગ્ન કેસની સુનાવણી કરતા CJI DY ચંદ્રચુડે જણાવ્યું હતું કે, ચાર ચુકાદા છે, નિર્ણયોમાં અમુક અંશે સંમતિ અને અમુક અંશે અસંમતિ છે.
CJI DY ચંદ્રચુડે જણાવ્યું હતું કે, સમલૈંગિકતા એ શહેરી ખ્યાલ નથી. આ માત્ર સમાજના ઉચ્ચ વર્ગ સુધી મર્યાદિત નથી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે. દરેક વ્યક્તિ પોતાનો જીવનસાથી પસંદ કરી શકે છે.

CJIએ નોંધ્યું છે કે, વિજાતીય યુગલોને ભૌતિક લાભ/સેવાઓ પ્રદાન કરવી અને તેમને સમલૈંગિક યુગલોથી વંચિત રાખવું એ તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન હશે. સમાનતા માંગ કરે છે કે, વ્યક્તિઓ સાથે તેમના લૈંગિક અભિગમના આધારે ભેદભાવ ન કરવામાં આવે.
CJIએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે એવું માન્યું છે કે, સમલૈંગિક વ્યક્તિઓ સાથે ભેદભાવ કરવામાં આવતો નથી અને તેમના સંગઠનમાં જાતીય અભિગમના આધારે તેમની સાથે ભેદભાવ કરી શકાતો નથી. સમલૈંગિક વ્યક્તિઓ સહિત તમામ વ્યક્તિઓને તેમના જીવનની નૈતિક ગુણવત્તાનો ન્યાય કરવાનો અધિકાર છે.












Click it and Unblock the Notifications
