ત્રણ તલાક પર સુપ્રીમ કોર્ટે 6 મહિના માટે લગાવ્યો પ્રતિબંધ
ત્રણ તલાક મામલે સુપ્રીમ કોર્ટે આજે સંભળાવશે ચુકાદો. ત્યારે આ ચુકાદા અંગે તમામ જાણકારી મેળવો અહીં. વિગતવાર જાણો આ લેખ.
સુપ્રીમ કોર્ટે મુસ્લિમ ધર્મમાં ચાલતી ત્રણ તલાકની પ્રથા અંગે પોતાનો નિર્ણય વાંચવાનો શરૂ કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે ત્રણ તલાક મામલે આજે સુપ્રીમ કોર્ટે નક્કી કરશે કે ત્રણ તલાક કાનૂની છે કે ગેરકાનૂની. પાંચ જજોની બેંચ દ્વારા આજે આ અંગે જાહેરાત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ મામલે 6 દિવસ સુધી સુનવણી કરવામાં આવી હતી. અને 18મેના રોજ આ મામલે નિર્ણયને સુરક્ષિત કરવામાં આવ્યો હતો. વધુમાં આ મામલે કેન્દ્ર સરકાર સમેત અનેક પક્ષકાર પણ સામેલ છે.

ત્યારે ત્રણ તલાક પર સુપ્રીમ કોર્ટે શું કહ્યું વિગતવાર વાંચો અહીં...
- ત્રણ તલાક પર સુપ્રીમ કોર્ટે 6 મહિના માટે લગાવ્યો પ્રતિબંધ
- સાથે જ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને સંસદમાં એક કાનૂન બનાવવા માટે કહ્યું છે.
- કોર્ટે સરકારને 6 મહિનાની અંદર આ અંગે એક કાયદો બનાવવા માટે કહ્યું છે. જેને સંસદમાં 6 મહિનાની અંદર પસાર પણ કરવો પડશે.
- સાથે જ કોર્ટે જણાવ્યું કે તલાખનો આ નિયમ ભારતીય સંવિધાનના આર્ટીકલ 14, 15 અને 21નો ભંગ નથી કરતો.
- કોર્ટે માન્યું કે તલાક સુન્ની સમુદાયનો આંતરિક ભાગ છે અને તેની પ્રેક્ટિસ ગત 1000 વર્ષોથી કરવામાં આવી રહી છે.
- સાથે જ પાંચમાંથી ત્રણ જજ દ્વારા કેન્દ્ર સરકારને આ મામલે ટકોર કરતા કહેવામાં આવ્યું કે કેમ સરકાર દ્વારા આ અંગે હજી સુધી કોઇ કાયદો નથી આવ્યો છે આ કાનૂન પર પ્રતિબંધ લાદી શકે?
- કોર્ટમાં જસ્ટિસ કુરિયન જોસેફ, જસ્ટિસ આરએએફ નારિમન, જસ્ટિસ યૂયૂ લલિતે મળીને ત્રણ તલાક ગેરકાનૂની હોવા પર નિર્ણય સંભળાવ્યો છે.
- આ ત્રણેય જજનું માનવું છે કે ત્રણ તલાક અનુચ્છેદ 14નું ઉલ્લંધન કરે છે. ઉલ્લેખનીય છે કે ભારતીય સંવિધાનમાં અનુચ્છેદ 14 સમાનતાનો અધિકાર આપે છે.
- મુખ્ય ન્યાયાધીશ જેએસ ખેહર અને જસ્ટિસ અબ્દુલ નઝીરે માન્યું કે કાયદો 1400 વર્ષ જૂનો છે અને મુસ્લિમ ધર્મનો વિભન્ન અંગ છે જેને કોર્ટ રદ્દ નથી કર્યું.
- જો કે કોર્ટે શરૂઆતમાં જ સ્પષ્ટતા આપી છે કે ન્યાયાધીશનો કોઇ ધર્મ નથી હતો. અને હાલ ખાલી ત્રણ તલાક પર કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવશે પાછળથી બહુ લગ્ન અને નિકાહ હલાલા જેવા પ્રશ્ચો મામલે ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
More From
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
