સુપ્રીમ કોર્ટે સંજય દત્તને એક મહિનાની આપી રાહત

નવી દિલ્હી, 17 એપ્રિલ: વર્ષ 1993માં મુંબઇ બ્લાસ્ટમાં આર્મ્સ એક્ટ હેઠળ દોષી ગણવામાં આવેલા બૉલીવુડ અભિનેતા સંજય દત્તની અરજી પર સુપ્રીમ કોર્ટ બુધવારે સુનાવણી કરતાં એક મહિનાની રાહત આપી છે. સંજય દત્તે આત્મસમર્પણ માટે સમય આપવા માટે અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટ સંજય દત્તની અરજી પર બુધવારે 10.30 સુનાવણી કરતાં ચાર અઠવાડિયાની રાહત આપી હોવાથી 18 મેના રોજ આત્મસમર્પણ કરવાનું રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે સંજય દત્તે 6 મહિનાની રાહત માંગી હતી પરંતુ દલીલોને ધ્યાનમાં રાખતાં થોડાંક અંશે રાહત આપી છે.

sanjay-dutt

બીજી તરફ કોર્ટે મુંબઇ બોમ્બ બ્લાસ્ટ કેસમાં દોષી ગણવામાં આવેલ જૈબુન્નિસા અનવર કાઝી, ઇસાક મોહમંદ હજવાણે અને શરીફ અબ્દુલ ગફૂર પાર્કર ઉર્ફ દાદાભાઇની અરજીને નકારી કાઢી છે. કેસના ત્રણ આરોપીઓએ આત્મસમર્પણની તારીખને લંબાવવા માટે અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે આત્મસમર્પણ માટે ફક્ત સમયના આધારે આપવામાં ન આવે દયા અરજી રાસ્ટ્રપતિ પાસે પેન્ડિંગ છે.

અત્રે ઉલ્લેખનીય છે આ કેસમાં દોષી ગણવામાં આવેલા ત્રણ આરોપીઓએ આત્મસમર્પણની સમય મર્યાદા વધારવા માટે સવોચ્ચ અદાલતના દરવાજા ખખડાવ્યા હતા. કેસમં સંજય દત્તને પાંચ વર્ષની સજા થઇ છે અને તેમને 18 એપ્રિલના રોજ આત્મસમર્પણ કરવાનું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X