સુરેશ પ્રભુએ છોડ્યું રેલવે મંત્રાલય, ટ્વીટ કરી માન્યો આભાર
પીએમ મોદીના મંત્રીમંડળ વિસ્તરણ અને નવા મંત્રીઓના શપથ ગ્રહણ કાર્યક્રમ બાદ રેલ્વે મંત્રી સુરેશ પ્રભુએ ટ્વીટ કરી રેલ્વે વિભાગ છોડવાની જાહેરાત કરી હતી.
3 સપ્ટેમ્બર ને રવિવારના રોજ મંત્રીમંડળ ફેરબદલ અને વિસ્તરણ કરાયું હતું. મંત્રીમંડળ વિસ્તરણમાં નવા મંત્રીઓના શપથ ગ્રહણ કાર્યક્રમના તુરંત બાદ રેલવે મંત્રી સુરેશ પ્રભુએ ટ્વીટ કરી પોતાનું પદ છોડ્યાની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે, ટૂંકા સમયગાળામાં થયેલ મોટી રેલવે દુર્ઘટનાઓ બાદ સુરેશ પ્રભુએ વાડપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રાજીનામું રજૂ કર્યું હતું. એ સમયે વડાપ્રધાને તેમને થોભી જવા જણાવ્યું હતું. હવે મંત્રીમંડળ ફેરબદલ અને વિસ્તરણ બાદ તેમણે ટ્વીટ કરી, રેલવે મંત્રાલયનો આભાર માન્યો છે અને પોતે આ પદ છોડી રહ્યા હોવાનો સંકેત પણ આપ્યો છે.

Thanks to 13 Lacs+ rail family for support,love,goodwill.Will always cherish these memories with me.Wishing u all a great life:Suresh Prabhu
— ANI (@ANI) September 3, 2017
તેમણે ટ્વીટમાં લખ્યું છે, 13 લાખ + રેલવેના પરિવાર(રેલવે વિભાગ)નો તેમના સહકાર, પ્રેમ અને શુભચિંતાઓ બદલ આભાર માનું છું. હું આ યાદગીરીઓ હંમેશા મારી સાથે રહેશે. સૌને સુખી જીવનની શુભકામના. પોતાના અન્ય એક ટ્વીટમાં તેમણે નવા કેન્દ્રિય મંત્રીઓને શુભકામના પણ પાઠવી છે. વર્ષ 2019 પહેલાનું નરેન્દ્ર મોદી સરકારનું આ છેલ્લું મંત્રીમંડળ વિસ્તરણ છે, જેમાં 4 મંત્રીઓની પદોન્નતિ થઇ છે અને 9 નામો ઉમેરાયા છે. સૂત્રો અનુસાર, રેલવે વિભાગ પિયુષ ગોયલને સોંપવામાં આવશે.
-
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
IPL 2026 First Match: પહેલી મેચ ક્યારે અને ક્યાં રમાશે? આ બે ટીમો વચ્ચે થશે પ્રથમ મુકાબલો -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી











Click it and Unblock the Notifications
