પ્રિયંકા ગાંધી પર પ્રહાર, ચૂંટણી કોઈ બ્યુટી કોન્ટેસ્ટ નથી: સુશીલ મોદી
પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ મહાસચિવ બનાવ્યા પછી રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. પ્રિયંકા ગાંધીને યુપીની કમાન સોંપ્યા પર ભાજપે પ્રહાર કર્યો છે કે કોંગ્રેસ પાર્ટી માની ચુકી છે કે રાહુલ ગાંધી ફેલ થઇ ચુક્યા
પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ મહાસચિવ બનાવ્યા પછી રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. પ્રિયંકા ગાંધીને યુપીની કમાન સોંપ્યા પર ભાજપે પ્રહાર કર્યો છે કે કોંગ્રેસ પાર્ટી માની ચુકી છે કે રાહુલ ગાંધી ફેલ થઇ ચુક્યા છે. જયારે બીજી બાજુ પ્રિયંકા ગાંધીની એન્ટ્રી પર ભાજપા નેતાઓની જીભ લપસી રહી છે. હવે બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીએ કહ્યું છે કે ચૂંટણી કોઈ બ્યુટી કોન્ટેસ્ટ નથી.
આ પણ વાંચો: પ્રિયંકા ગાંધીને કેમ સોંપવામાં આવી પૂર્વ યૂપીની જવાબદારી, જાણો પડદા પાછળનું કારણ

ચૂંટણી કોઈ બ્યુટી કોન્ટેસ્ટ નથી
સુશીલ મોદી એ કહ્યું છે કે ચૂંટણી કોઈ બ્યુટી કોન્ટેસ્ટ નથી લોકો ફક્ત પાછલા પ્રદર્શનને આધારે જ ચૂંટણીમાં વોટ કરશે. સુશીલ મોદીએ પશ્ચિમ બંગાળમાં હાવડામાં આ વાત કહી. તેઓ ભાજપની એક રેલીમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. જયારે સુશીલ મોદી અને બીજા ભાજપા નેતાઓના નિવેદન પર કોંગ્રેસે પણ પલટવાર કર્યો છે.

કોંગ્રેસે પણ પલટવાર કર્યો
કોંગ્રેસે જવાબી પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપના નેતાઓના નિવેદન દર્શાવે છે કે તેઓ પ્રિયંકા ગાંધીના રાજનીતિમાં આવવાથી ગભરાઈ ચુક્યા છે. રાજ્યસભા સદસ્ય અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પ્રદીપ ભટ્ટાચાર્ય ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભાજપ ચૂંટણી પરિણામોને કારણે પહેલાથી ગભરાઈ ચુકી છે. એટલા માટે તેમની પાર્ટીના નેતાઓ આવું નિવેદન આપી રહ્યા છે.

પ્રિયંકા ગાંધીનો પતિ એક ભ્રષ્ટ વેપારી છે
સુશીલ મોદી પહેલા પણ પ્રિયંકા ગાંધી વિશે વિવાદિત નિવેદન આપી ચુક્યા છે. તેમને કહ્યું કે કોંગ્રેસ તે મહિલાને સક્રિય રાજનીતિમાં લઈને આવી છે તેનો પતિ એક ભ્રષ્ટ વેપારી છે. તેમને કહ્યું હતું કે આવું કરીને કોંગ્રેસ ખુશ થઇ રહી છે. તેમને કહ્યું કે પ્રિયંકા ગાંધીનો ચહેરો ઇન્દિરા ગાંધીને મળતો આવે છે, પરંતુ તે ઇન્દિરા ગાંધી ક્યારેય નહીં બની શકે.

પ્રિયંકા ગાંધીને મહાસચિવ બનાવ્યા
આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ મહાસચિવ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેમને પૂર્વી ઉત્તરપ્રદેશની કમાન સોંપવામાં આવી છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નિર્ણયને કારણે ઘણા પાર્ટીના નેતાઓ જોશમાં છે, જયારે ભાજપ તેને વંશવાદની રાજનીતિ ગણાવી રહી છે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી










Click it and Unblock the Notifications
