પ્રિયંકા ગાંધી પર પ્રહાર, ચૂંટણી કોઈ બ્યુટી કોન્ટેસ્ટ નથી: સુશીલ મોદી
પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ મહાસચિવ બનાવ્યા પછી રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. પ્રિયંકા ગાંધીને યુપીની કમાન સોંપ્યા પર ભાજપે પ્રહાર કર્યો છે કે કોંગ્રેસ પાર્ટી માની ચુકી છે કે રાહુલ ગાંધી ફેલ થઇ ચુક્યા
પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ મહાસચિવ બનાવ્યા પછી રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. પ્રિયંકા ગાંધીને યુપીની કમાન સોંપ્યા પર ભાજપે પ્રહાર કર્યો છે કે કોંગ્રેસ પાર્ટી માની ચુકી છે કે રાહુલ ગાંધી ફેલ થઇ ચુક્યા છે. જયારે બીજી બાજુ પ્રિયંકા ગાંધીની એન્ટ્રી પર ભાજપા નેતાઓની જીભ લપસી રહી છે. હવે બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીએ કહ્યું છે કે ચૂંટણી કોઈ બ્યુટી કોન્ટેસ્ટ નથી.
આ પણ વાંચો: પ્રિયંકા ગાંધીને કેમ સોંપવામાં આવી પૂર્વ યૂપીની જવાબદારી, જાણો પડદા પાછળનું કારણ

ચૂંટણી કોઈ બ્યુટી કોન્ટેસ્ટ નથી
સુશીલ મોદી એ કહ્યું છે કે ચૂંટણી કોઈ બ્યુટી કોન્ટેસ્ટ નથી લોકો ફક્ત પાછલા પ્રદર્શનને આધારે જ ચૂંટણીમાં વોટ કરશે. સુશીલ મોદીએ પશ્ચિમ બંગાળમાં હાવડામાં આ વાત કહી. તેઓ ભાજપની એક રેલીમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. જયારે સુશીલ મોદી અને બીજા ભાજપા નેતાઓના નિવેદન પર કોંગ્રેસે પણ પલટવાર કર્યો છે.

કોંગ્રેસે પણ પલટવાર કર્યો
કોંગ્રેસે જવાબી પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપના નેતાઓના નિવેદન દર્શાવે છે કે તેઓ પ્રિયંકા ગાંધીના રાજનીતિમાં આવવાથી ગભરાઈ ચુક્યા છે. રાજ્યસભા સદસ્ય અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પ્રદીપ ભટ્ટાચાર્ય ઘ્વારા જણાવવામાં આવ્યું કે ભાજપ ચૂંટણી પરિણામોને કારણે પહેલાથી ગભરાઈ ચુકી છે. એટલા માટે તેમની પાર્ટીના નેતાઓ આવું નિવેદન આપી રહ્યા છે.

પ્રિયંકા ગાંધીનો પતિ એક ભ્રષ્ટ વેપારી છે
સુશીલ મોદી પહેલા પણ પ્રિયંકા ગાંધી વિશે વિવાદિત નિવેદન આપી ચુક્યા છે. તેમને કહ્યું કે કોંગ્રેસ તે મહિલાને સક્રિય રાજનીતિમાં લઈને આવી છે તેનો પતિ એક ભ્રષ્ટ વેપારી છે. તેમને કહ્યું હતું કે આવું કરીને કોંગ્રેસ ખુશ થઇ રહી છે. તેમને કહ્યું કે પ્રિયંકા ગાંધીનો ચહેરો ઇન્દિરા ગાંધીને મળતો આવે છે, પરંતુ તે ઇન્દિરા ગાંધી ક્યારેય નહીં બની શકે.

પ્રિયંકા ગાંધીને મહાસચિવ બનાવ્યા
આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ મહાસચિવ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેમને પૂર્વી ઉત્તરપ્રદેશની કમાન સોંપવામાં આવી છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના નિર્ણયને કારણે ઘણા પાર્ટીના નેતાઓ જોશમાં છે, જયારે ભાજપ તેને વંશવાદની રાજનીતિ ગણાવી રહી છે.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
