શિંદેની ટીવી ચેનલોને ધમકી, ખોટો પ્રચાર કરનારાઓને કચડી નાખીશું
નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી: દેશના ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ આજે ખુલ્લેઆમ કંઇક એવું કહ્યું કે તમને વિશ્વાસ નહી થાય કે તમે લોકતાંત્રિક દેશમાં રહો છો. ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ ખુલ્લેઆમ મીડિયાને તાલિબાની ધમકી આપી દિધી. સુશીલ કુમાર શિંદેએ કેટલીક મીડિયા ચેનલો પર ખોટો પ્રચાર કરવાનો આરોપ લગાવતાં તેમને કચડી નાખવાની ધમકી આપી દિધી.
સુશીલ કુમાર શિંદે પર કોંગ્રેસ પાર્ટીના વિરૂદ્ધ ખોટો પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તે લોકોને બિનજરૂરી રીતે ઉશ્કેરી રહી છે. પોતાના લોકસભા વિસ્તાર શોલાપુરમાં આયોજીત કોંગ્રેસ યુવા મેળામાં સુશીલ કુમાર શિંદેએ કહ્યું હતું કે ઇલેક્ટ્રોનિક મીડિયાની એક ટુકડી તેમના અને તેમની પાર્ટી વિરૂદ્ધ સમાચારો સાથે છેડછાડ કરી લોકોને ઉશ્કેરવાનું કામ કરી રહી છે. સુશીલ કુમાર શિંદેએ આમ કરનારી ચેનલોને આકરી ચેતાવણી આપતાં કહ્યું હતું કે જો તેમણે તાત્કાલિક આ પ્રકારના સમાચારોને અટકાવ્યા નહી તો તેમને કચડી નાખવામાં આવશે.

સુશીલ કુમાર શિંદેએ કહ્યું હતું કે આવી ટીવી ચેનલોને કચડી નાખશે જે કોંગ્રેસ વિરૂદ્ધ દુષ્પ્રચારમાં લુપ્ત છે. તેમણે કહ્યું હતું કે તેમની પાછળ કેટલીક તાકતો કામ કરી રહી છે. મીડિયાને ધમકી આપતાં કહ્યું હતું કે સુશીલ કુમાર શિંદેએ કહ્યું હતું કે તેમને સકારાત્મક સમાચારો પર ધ્યાન આપવું જોઇએ. જો કે લોકસભા ચૂંટણીને લઇને કરાવવામાં આવતાં ચૂંટણી સર્વેમાં કોંગ્રેસની નબળી સ્થિતી દર્શાવવામાં આવી રહી છે. જેને લઇને કોંગ્રેસના નેતા નારાજ છે. આ નારાજગીના લીધે સુશીલ કુમાર શિંદેએ ધમકી આપી હતી.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
