જોધપુરના છોરાને સુષ્માએ આપ્યો ભરોસો, ચોક્ક્સ આવશે પાકિસ્તાની નવોઢા
વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ ટ્વીટર પર પોતાની પ્રતિક્રિયાઓ માટે ઘણા ચર્ચામાં રહે છે. ટ્વીટરના માધ્યમથી તે લોકોની ફરિયાદો સાંભળે છે અને તરત જ તેનુ સમાધાન પણ કરે છે. શુક્રવારે તેમણે રાજસ્થાનના જોધપુરમાં રહેતા યુવકને ટ્વીટર પર ભરોસો આપ્યો કે તેની જેની જોડે સગાઇ થઇ છે તે પાકિસ્તાનમાં રહેતી યુવતીને વિઝા જરુર મળશે.

સુષ્મા સ્વરાજે નરેશ તેવાનીને ટ્વીટર પર ભરોસો આપ્યો કે આગલા મહિને તેની મંગેતર પ્રિયાને વિઝા જરુર મળશે. પ્રિયા અને તેના પરિવારે ત્રણ મહિના પહેલા ભારતના વિઝા માટે અરજી કરી હતી, પરંતુ હજુ સુધી વિઝા મળ્યો નથી.
નવેમ્બરમાં છે લગ્ન નરેશ અને પ્રિયાના લગ્ન નવેમ્બરમાં થવાના છે. પરંતુ વિઝા ન મળવાને કારણે બંને પરિવારોએ નક્કી કરેલા સમયે લગ્ન થવાની આશા છોડી દીધી હતી. ભારત-પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે બંને પરિવારો ચિંતાગ્રસ્ત હતા.

વિદેશમંત્રીએ ટ્વીટર પર આપ્યો જવાબ
27 વર્ષીય નરેશે ટ્વીટ કરીને વિદેશમંત્રીને અપીલ કરી હતી કે તેના લગ્ન સમયસર થઇ શકે તે માટે કરાંચીમાં રહેતી તેની મંગેતર અને તેના પરિવારને વિઝા આપવામાં આવે. નરેશને જવાબ આપતા સુષ્મા સ્વરાજે કહ્યું કે "તમે ચિંતા ન કરો, અમે વિઝા અપાવી દઇશુ."

કરાચીથી આવવા ઇચ્છે છે 15 જણ
જણાવવામાં આવી રહ્યુ છે કે પ્રિયાના પરિવારના આશરે 15 લોકો લગ્નમાં હાજર રહેવા કરાચીથી જોધપુર આવવા ઇચ્છે છે અને તેમણે વિઝા માટે એપ્લાઇ કર્યુ છે. નરેશે કહ્યુ કે વિદેશમંત્રીના ટ્વીટે તેને ઘણી રાહત આપી છે. હવે લગ્નમાં કોઇ મુશ્કેલી નહિ આવે. ઉલ્લેખનીય છે કે આ પહેલા વિદેશમંત્રીએ ઑગસ્ટમાં પણ તત્કાલ વિઝા ઇશ્યૂ કરાવીને એક કપલની મદદ કરી હતી.

-
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
Video: ક્યાં છે કોંગ્રેસ નેતા પવન ખેરા? વીડિયોએ ખોલી દીધું રહસ્ય, હિમંતા-પાસપોર્ટ કેસમાં પાછળ પડી છે પોલીસ -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
સુપ્રસિદ્ધ રોમાનિયન ફૂટબોલ ખેલાડી અને કોચ મિર્સિયા લુસેસ્કુનું ૮૦ વર્ષની વયે અવસાન -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું -
પીએમ-કુસુમ યોજનાનો પ્રથમ તબક્કો કૃષિમાં સૌર ઉર્જા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો -
ઓમ બિરલા 9 એપ્રિલે ગોવામાં કોમનવેલ્થ સંસદીય પરિષદનું ઉદ્ઘાટન કરશે, જે શાસન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો












Click it and Unblock the Notifications
