સુષમાએ કર્યા મોદીના ભરપેટ વખાણ, કોંગ્રેસને આડેહાથ લીધી
પટના, 29 એપ્રિલઃ ભાજપના વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજે નરેન્દ્ર મોદીના નેતૃત્વના જોરદાર વખાણ કર્યા છે. એટલું જ નહીં સુષમાએ દાવો કર્યો છેકે દેશને કોંગ્રેસના કુશાસનથી માત્ર તેમની પાર્ટી જ બહાર કાઢી શકે છે. સુષમાએ કહ્યું કે કોંગ્રેસ શાસનથી લોકોમાં હતાશા અને નિરાશા છે.

લોકસભા ચૂંટણી દરમિયાન બિહારમાં પોતાની પહેલી ચૂંટણી રેલી કરવા આવેલા સુષમા સ્વરાજે પ્રદેશમાં ભાજપના મુખ્યમંત્રીઓના પણ વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં માત્ર ભાજપના મુખ્યમંત્રીઓ સુશાસન આપી શક્યા છે અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ દેશ આ નિરાશાજનક પરિસ્થિતિઓમાંથી બહાર નિકળી શકે છે. કોંગ્રેસ સરકારની અસફળતાઓ અંગે તેમણે કહ્યું કે, 10 વર્ષના શાસનમાં કોંગ્રેસની સફળતા મોંઘવારી, ભ્રષ્ટાચાર, ખેડૂતોની સ્થિતિ, પાકિસ્તાન સામે ઝુકવામાં અને વ્યાપારિક મંદીમાં છે.
તેમણે હુકુમદેવ નારાયણ યાદવને સંકટ મોચક ગણાવ્યા છે અને કહ્યું કે, તેઓ લોકસભામાં વિપક્ષી નેતા તરીકે જ્યારે મુશ્કેલીમાં મુકાય છે ત્યારે હુકુમદેવ નારાયણ યાદવ પાસે જાય છે, તેઓ એકપણ કાગળ જોયા વગર કલાકો સુધી ખેડૂતો અને શ્રમીકો સાથે જોડાયેલા વિષયો પર વાતો કરી શકે છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
