થરૂરનું વિવાદી નિવેદન : સ્વામી વિવેકાનંદ માંસાહારી અને શરાબી હતા
તિરુવનંતપુરમ, 16 સપ્ટેમ્બર : પોતાના નિવેદનોને કારણે અવાર નવાર વિવાદમાં સપડાતા કોંગ્રેસના નેતા અને કેન્દ્રમાં માનવ સંસાધન વિકાસ મંત્રી શશી થરૂર ફરીથી વિવાદમાં ફસાયા છે. આ વખતે પણ તેઓ તેમના નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. ઉપરાષ્ટ્રપતિ હામીદ અન્સારીએ 11 સપ્ટેમ્બરના રોજ સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં શશી થરૂરે નિવેદન આપ્યું હતું કે સ્વામી વિવેકાનંદ કોઇ ખાસ સમુહ કે વર્ગ સાથે સંબંધ ધરાવતા નથી.
આ કાર્યક્રમમાં જ થરૂરે જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદ માંસાહારી હતા અને ક્યારેક ક્યારેક શરાબ પણ પીતા હતા. આ મુદ્દે રાજ્યના ભાજપા નેતા ઓ. રાજગોપાલે જણાવ્યું કે થરૂરે પોતાનું નિવેદન પાછું લઇ લેવું જોઇએ. આવું નિવેદન આપવા બદલ તેમણે માફી માંગવી જોઇએ.

આ જ મુદ્દે કેરળ ભાજપના અધ્યક્ષ વી મુરલીધરને જણાવ્યું કે જે કાર્યક્રમમાં શશી થરૂરે આ નિવેદન આપ્યું છે ત્યાં તેઓ સ્વયં હાજર હતા. મુરલીધરનનું કહેવું છે કે જો થરૂરે માફી નહીં માંગી તો અમે તેમની વિરુદ્ધ આગળની કાર્યવાહી કરીશું.
બીજી તરફ શશી થરૂરનું કહેવું છે કે તેમણે આવું નિવેદન આપ્યું નથી. તેમણે ભાજપ પર ચૂંટણીને પગલે ગંદું રાજકારણ રમવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું કે સંઘના હજારો માણસો મને સોશિયલ મીડિયા પર બદનામ કરાવાનો પ્રયત્ન કરે છે. તેમણે મીડિયા ચેનલો પર પણ કાર્યક્રમ કવર કરવાનો અને ભાષણ નહીં સાંભળવાનો આરોપ લગાવ્યો છે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા






Click it and Unblock the Notifications
