થરૂરનું વિવાદી નિવેદન : સ્વામી વિવેકાનંદ માંસાહારી અને શરાબી હતા
તિરુવનંતપુરમ, 16 સપ્ટેમ્બર : પોતાના નિવેદનોને કારણે અવાર નવાર વિવાદમાં સપડાતા કોંગ્રેસના નેતા અને કેન્દ્રમાં માનવ સંસાધન વિકાસ મંત્રી શશી થરૂર ફરીથી વિવાદમાં ફસાયા છે. આ વખતે પણ તેઓ તેમના નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. ઉપરાષ્ટ્રપતિ હામીદ અન્સારીએ 11 સપ્ટેમ્બરના રોજ સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં શશી થરૂરે નિવેદન આપ્યું હતું કે સ્વામી વિવેકાનંદ કોઇ ખાસ સમુહ કે વર્ગ સાથે સંબંધ ધરાવતા નથી.
આ કાર્યક્રમમાં જ થરૂરે જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદ માંસાહારી હતા અને ક્યારેક ક્યારેક શરાબ પણ પીતા હતા. આ મુદ્દે રાજ્યના ભાજપા નેતા ઓ. રાજગોપાલે જણાવ્યું કે થરૂરે પોતાનું નિવેદન પાછું લઇ લેવું જોઇએ. આવું નિવેદન આપવા બદલ તેમણે માફી માંગવી જોઇએ.

આ જ મુદ્દે કેરળ ભાજપના અધ્યક્ષ વી મુરલીધરને જણાવ્યું કે જે કાર્યક્રમમાં શશી થરૂરે આ નિવેદન આપ્યું છે ત્યાં તેઓ સ્વયં હાજર હતા. મુરલીધરનનું કહેવું છે કે જો થરૂરે માફી નહીં માંગી તો અમે તેમની વિરુદ્ધ આગળની કાર્યવાહી કરીશું.
બીજી તરફ શશી થરૂરનું કહેવું છે કે તેમણે આવું નિવેદન આપ્યું નથી. તેમણે ભાજપ પર ચૂંટણીને પગલે ગંદું રાજકારણ રમવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું કે સંઘના હજારો માણસો મને સોશિયલ મીડિયા પર બદનામ કરાવાનો પ્રયત્ન કરે છે. તેમણે મીડિયા ચેનલો પર પણ કાર્યક્રમ કવર કરવાનો અને ભાષણ નહીં સાંભળવાનો આરોપ લગાવ્યો છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
