'છોકરી ભણેલી હશે તો વસ્તી નિયંત્રણમાં રહેશે', નીતિશ કુમારના નિવેદન પર સ્વાતિ માલીવાલે કહ્યુ- માફી માંગો
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વિધાનસભામાં આપેલા વિવાદાસ્પદ નિવેદનને કારણે વિવાદોમાં ફસાયા છે અને તેમની ટીકા થઈ રહી છે. નીતિશ કુમારના આ નિવેદનની દરેક જગ્યાએ ટીકા થઈ રહી છે. તેમના નિવેદનની બિહારથી લઈને દિલ્હી સુધી ટીકા થઈ રહી છે.
દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે નીતિશ કુમારના નિવેદનની નિંદા કરી છે અને તેમને માફી માંગવા કહ્યું છે. સ્વાતિ માલીવાલે કહ્યું કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જે રીતે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો છે તે શરમજનક છે, હું તેની સખત નિંદા કરું છું. તેમણે આ માટે તરત જ માફી માંગવી જોઈએ.

તમને જણાવી દઈએ કે વસ્તી નિયંત્રણ પર બોલતા નીતિશ કુમારે વિધાનસભાની અંદર કહ્યું હતું કે જો છોકરી શિક્ષિત હશે તો વસ્તી નિયંત્રણમાં આવશે. આ વાતનો ખુલાસો કરતાં નીતિશે કહ્યું કે જ્યારે છોકરી ભણે છે, પછી જ્યારે લગ્ન થાય છે, ત્યારે માણસ દરરોજ રાતે કરે છે ને, તેમાં બાળકનો જન્મ થઈ જાય છે. પણ જો છોકરી ભણેલી હશે તો એને અંદર...
નીતિશ કુમારના આ પ્રકારના નિવેદન બાદ કેટલાક ધારાસભ્યો ગૃહની અંદર અસ્વસ્થતા અનુભવવા લાગ્યા. નીતfશ કુમારના નિવેદનથી મહિલા ધારાસભ્ય એકદમ નારાજ દેખાઈ રહ્યા હતા. ધારાસભ્ય નિવેદિતા રડવા લાગી. પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે નીતીશ કુમારે ગૃહમાં જે પ્રકારનું નિવેદન આપ્યું છે તેનાથી મહિલાઓને શરમ આવી છે. હું ગૃહની અંદર તેમનો ઉપદેશ સાંભળવાની હિંમત ન કરી શકr અને ગૃહની બહાર આવી ગઈ.
જ્યારે તેજસ્વી યાદવે નીતિશ કુમારનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે નીતિશ કુમાર સેક્સ એજ્યુકેશન આપી રહ્યા હતા, તેનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીનું નિવેદન સેક્સ એજ્યુકેશન વિશે હતું, જ્યારે તેની વાત કરવામાં આવે છે ત્યારે લોકો શરમાય છે, લોકોએ તેનાથી બચવું જોઈએ, તે શાળાઓમાં શીખવવામાં આવે છે. મુખ્યમંત્રીનો મતલબ વસ્તી નિયંત્રણ વિશે હતો, પ્રેકટીકલ વાત હતી એ તેમણે કહી છે.












Click it and Unblock the Notifications
