Tahawwur Rana extradition : મુંબઇ હુમલાના માસ્ટર માઈન્ડ તહવ્વુર રાણાને ભારત લવાયો, NIA એ ફોટો જારી કર્યો
Tahawwur Rana extradition : 26/11 મુંબઈ આતંકી હુમલાના મુખ્ય આરોપી તહવ્વુર રાણાને ભારત લવાયો છે. દિલ્હીના પાલમ એરપોર્ટ પર રાણાને લઈને વિમાન પહોંચ્યા બાદ તેની સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે.
અહીં એનઆઈએ (NIA) દ્વારા અધિકૃત રીતે ધરપકડ કરવામાં આવી છે. એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થાઓ ચુસ્ત રાખવામાં આવી હતી.

પ્લેન લૅન્ડ થતાં જ તહવ્વુર રાણાની ધરપકડ બાદ તેની તાત્કાલિક આરોગ્ય તપાસ કરાઈ. આ કાર્યવાહી કાનૂની પ્રક્રિયાનો ભાગ છે. ત્યારબાદ રાણાને એનઆઈએના મુખ્યાલય લઈ જવામાં આવ્યો છે અને વધુ પૂછપરછ કરાશે.
એનઆઈએ રાણા સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરી રહી છે. આ પહેલા તેને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજુ કરવામાં આવશે. રાણા તરફથી દિલ્હી લીગલ સર્વિસીસ ઓથોરિટી દ્વારા નિયુક્ત વકીલ પીયુષ સચદેવા રજૂ થશે. કોર્ટમાં રજૂઆત બાદ એનઆઈએ તેની રિમાન્ડ માટે અરજી કરશે, જેથી પુછપરછ કરી શકાય.
તહવ્વુર રાણાને અમેરિકાના લોસ એન્જલેસમાંથી ખાસ વિમાન દ્વારા ભારતમાં લાવવામાં આવ્યો છે. આ વિમાનમાં એનએસજી અને એનઆઈએની ટીમો તેમજ વરિષ્ઠ અધિકારીઓ સામેલ હતા. રાણા પાકિસ્તાની પેદાશ અને વર્તમાનમાં કેનેડા નાગરિક છે અને લાંબા સમયથી શિકાગોમાં રહેતો હતો.
એનઆઈએ મુખ્યાલયમાં તહવ્વુર રાણાને લેવા માટે ખાસ ઇન્વેસ્ટિગેશન સેલ તૈયાર કરવામાં આવ્યો છે, જે ત્રીજા માળ પર સ્થિત છે. અહીં માત્ર પસંદગીના 12 અધિકારીઓને જ પ્રવેશ મળશે.
The National Investigation Agency (NIA) on Thursday evening formally arrested Tahawwur Hussain Rana, the key conspirator in the deadly 26/11 Mumbai terror attacks, immediately after his arrival at IGIA, New Delhi, following his successful extradition from the United States.… pic.twitter.com/Tg3GBrjbo5
— ANI (@ANI) April 10, 2025
રાણાને દિલ્હી સ્થિત તિહાર જેલમાં રાખવામાં આવશે. જેલ પ્રશાસન તરફથી પણ પૂરી સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી છે. તહવ્વુર રાણાની ધરપકડ અને પૂછપરછ ભારત માટે 26/11ના ભયાનક હુમલાના કેસમાં ન્યાય મેળવવાની દિશામાં મોટું પગલું માનવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
