એયર બબલ એગ્રિમેન્ટ અંતર્ગત 13 દેશો સાથે ચાલી રહી છે વાત: ઉડ્ડયન મંત્રાલય
કોરોના વાયરસ સંકટમાં વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવાની કામગીરી ચાલી રહી છે. મંગળવારે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ ટ્વિટ કર્યું હતું કે ભારત સરકાર હવાઈ મુસાફરીની વ્યવસ્થા
કોરોના વાયરસ સંકટમાં વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવાની કામગીરી ચાલી રહી છે. મંગળવારે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ ટ્વિટ કર્યું હતું કે ભારત સરકાર હવાઈ મુસાફરીની વ્યવસ્થા સ્થાપિત કરવા માટે અન્ય 13 દેશો સાથે પણ વાતચીત કરી રહી છે. હરદીપસિંહ પુરીએ કહ્યું કે અમે વંદે ભારત મિશનનો અવકાશ વધારવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. કોરોના સમયગાળામાં કોઈ નાગરિક પાછળ રહેશે નહીં.
નોંધપાત્ર વાત એ છે કે વંદે ભારત મિશનનો પાંચમો તબક્કો 1 ઓગસ્ટથી શરૂ થયો છે, એક અંદાજ મુજબ અત્યાર સુધીમાં 8 લાખથી વધુ ભારતીયોને ઘરે પરત લાવવામાં આવ્યા છે. મંગળવારે કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરીએ એક ટવીટમાં જણાવ્યું હતું કે અમે અમારા પ્રયાસો આગળ ધપાવી રહ્યા છીએ અને વધુ 13 દેશો સાથે હવાઈ મુસાફરીની વ્યવસ્થા ગોઠવવા માટે વાતચીત કરી રહ્યા છીએ. જેમાં ઓસ્ટ્રેલિયા, ઇટાલી, જાપાન, ન્યુઝીલેન્ડ, નાઇજિરિયા, બહેરિન, ઇઝરાઇલ, કેન્યા, ફિલિપાઇન્સ, રશિયા, સિંગાપોર, દક્ષિણ કોરિયા અને થાઇલેન્ડનો સમાવેશ થાય છે.
We continue to further strengthen the reach & scope of VBM. Air Travel arrangements are already in place with USA, UK, France, Germany, UAE, Qatar & Maldives.
— Hardeep Singh Puri (@HardeepSPuri) August 18, 2020
We are now taking these efforts forward & are negotiating with 13 more countries to establish such arrangements.
બીજા એક ટ્વીટમાં તેમણે કહ્યું કે, અમે વંદે ભારત મિશન (વીબીએમ) ની પહોંચ અને અવકાશ વધારવાનું કામ ચાલુ રાખી રહ્યા છીએ. યુનાઇટેડ સ્ટેટ્સ, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, યુએઈ, કતાર અને માલદીવ સાથેની હવાઈ મુસાફરી પહેલાથી જ ચાલુ છે. હવે અમે આ પ્રયાસોને આગળ ધપાવી રહ્યા છીએ જેમાં 13 અન્ય દેશો સાથે આવી વ્યવસ્થા સ્થાપિત કરવા માટે વાટાઘાટો ચાલી રહી છે. ઉડ્ડયન પ્રધાને વધુમાં લખ્યું છે કે, આ દેશોમાં ઓસ્ટ્રેલિયા, ઇટાલી, જાપાન, ન્યુઝીલેન્ડ, નાઇજિરિયા, બહેરિન, ઇઝરાઇલ, કેન્યા, ફિલિપાઇન્સ, રશિયા, સિંગાપોર, દક્ષિણ કોરિયા અને થાઇલેન્ડનો સમાવેશ છે.
આ પણ વાંચો: ફેસબુક વિવાદ પર બોલ્યા રાહુલ, કહ્યું - લોકતંત્રથી નહી થવા દઇએ છેડખાની, ઝુકરબર્ગને લખી ચિઠ્ઠી