તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી કરુણાનિધિનું નિધન, સાંજે 6.10 વાગે અંતિમ શ્વાસ
તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકે પ્રમુખ એમ. કરુણાનિધિનું મંગળવારે સાંજે નિધન થઈ ગયુ છે. છેલ્લા કેટલાક સપ્તાહથી કરુણાનિધિ બિમાર હતા.
તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકે પ્રમુખ એમ. કરુણાનિધિનું મંગળવારે સાંજે નિધન થઈ ગયુ છે. છેલ્લા કેટલાક સપ્તાહથી કરુણાનિધિ બિમાર હતા. મંગળવારે જારી થયેલ મેડીકલ બુલેટિનમાં આની જાણકારી આપવામાં આવી હતી કે એમ કરુણાનિધિની હાલક ગંભીર થઈ ગઈ છે ત્યારબાદ સાંજે તેમના નિધનની ઘોષા કરી દેવામાં આવી. તમિલનાડુમાં 5 વખત સીએમ રહી ચૂકેલા ડીએમકે અધ્યક્ષ એમ કરુણાનિધિનું મંગળવારે સાંજે કાવેરી હોસ્પિટલમાં નિધન થઈ ગયુ. કરુણાનિધિ છેલ્લા દસ દિવસોથી હોસ્પિટલમાં ભરતી હતા. આ સમાચાર સાંભળ્યા બાદ મોટી સંખ્યામાં પક્ષના સમર્થકો હોસ્પિટલની બહાર એકત્ર થઈ ગયા જેમાંથી ઘણા રોતા પણ જોવા મળ્યા.

આ પહેલા ડીએમકેના ઘણા નેતાઓએ હોસ્પિટલ પહોંચીને કરુણાનિધિના ખબરઅંતર પૂછ્યા. બપોરે હોસ્પિટલ દ્વારા જારી કરેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ કે 94 વર્ષીય કરુણાનિધિને મેડીકલ સપોર્ટ પર રાખવામાં આવ્યા છે અને તેમના સ્વાસ્થ્યનુ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે અને સાંજે 6.10 વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા. કરુણાનિધિના મૃતદેહને ગોપાલપુરમ લઈ જવામાં આવશે. બુધવારે સવારે રાજાજી હોલમાં અંતિમ દર્શન માટે તેમને રાખવામાં આવશે. કરુણાનિધિ 94 વર્ષના હતા. પીએમ મોદીએ ટ્વિટ કરીને ડીએમકે ચૂફ કરુણાનિધિના નિધન પર શોક વ્યક્ત કર્યો. રાષ્ટ્રપતિએ ટ્વિટ કરીને કુરણાનિધિના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
તમિલનાડુમાં કાલે બુધવારે રજા જાહેર કરી દેવામાં આવી છે. કરુણાનિધિના દેહાંત બાદ ડીએમકેએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. વળી, કાવેરી હોસ્પિટલ બહાર સમર્થકોની સંખ્યા સતત વધી રહી છે. તમને જણાવી દઈએ કે 1957 માં થયેલી પેટાચૂંટણીમં તેઓ પહેલી વાર ધારાસભ્ય બન્યા હતા. આ દરમિયાન તેમના સિવાય પક્ષમાંથી બીજા 12 ધારાસભ્ય બન્યા હતા. કરુણાનિધિએ રાજકારણમાં ખૂબ મહેનત કરી અને 1967 ના ચૂંટણીમાં પક્ષે બહુમત મેળવ્યો અને અન્નાદુરાઈ તમિલનાડુના પહેલા બિનકોંગ્રેસી મુખ્યમંત્રી બન્યા.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
