ISISના નિશાના પર તાજમહેલ, જાહેર કર્યો સંપૂર્ણ પ્લાન
આ ગ્રાફિકને જોઇને સંકેત મળી રહ્યો છે કે, આઇએસ વેન તાજમહેલમાં ઘુસાડીને આત્મઘાતી હુમલો કરવાની તૈયારીમાં છે.
યુપીની રાજધાની લખનઉમાં ખતરનાક આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ નો ભય ફેલાયા બાદ હવે આગ્રા ના તાજમહેલ પર આતંકી હુમલો થાય એવી શક્યતા છે. ગુપ્ત સૂત્રો અનુસાર આઇએઆઇએસ દ્વારા એક ગ્રાફિક જાહેર કરવામાં આવ્યું છે, જેમાં તેમણે ભારત પર હુમલો કરવાનું ભયાવહ કાવતરું ઘડ્યું છે. આતંકવાદી સંગઠને એક ગ્રાફિકમાં અરબી ભાષામાં લખ્યું છે, આગ્રા ઇસ્તશહાદી કે શહીદના સાધક.. જેનો અર્થ છે આઇએસઆઇએસના નિશાના પર હવે આગ્રાનો તાજમહેલ છે.
14 માર્ચ, 2017ના રોજ ટેલેગ્રામ પર પોસ્ટ જાહેર કરવામાં આવેલા ગ્રાફિકમાં આઇએસઆઇએસ નો એક લડવૈયો બંદૂક પકડીને ઊભો છે. ગ્રાફિકમાં એક વેન પણ છે, જે તાજમહેલ તરફ મોઢું કરીને ઊભેલી જોવા મળે છે. આ ગ્રાફિક જોઇને સંકેત મળી રહ્યાં છે કે, આઇએસ આ વેન તાજમહેલમાં ઘુસાડીને આત્મઘાતી હુમલો કરવાની તૈયારીમાં છે. ગ્રાફિકમાં તેજમહેલના પ્રતિક સાથે લખ્યું છે, નવો ટાર્ગેટ!
ભારતમાં ભય ફેલાવવાની ફિરાકમાં આઇએસ
ગુપ્ત સૂત્રો અનુસાર, આઇએસઆઇએસ ભારતમાં કોઇ મોટું કાવતરું કરવાના પ્રયત્નમાં છે. આ માટે જ આ સંગઠન ભારતમાં રિક્રૂટમેન્ટ વિંગ થકી યુવાઓને પોતાની તરફ આકર્ષિત કરવાનો પણ પ્રયત્ન કરી રહ્યાં છે. ગુપ્ત એજન્સિઓ સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે, જાહેર કરવામાં આવેલું ગ્રાફિક ભારતમાં આઇએસઆઇએસની ઘુસણખોરીનો વધુ એક સંકેત છે.
અહીં વાંચો - પિતા સામે જ સગીર પુત્રીઓ સાથે સામૂહિક બળાત્કાર
અધિકારીઓ અનુસાર હાલમાં જ ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેનમાં થયેલા ધમાકામાં પણ આઇએસનું જ ષડયંત્ર હોવાના પુરાવા મળ્યાં છે. આ વિસ્ફોટની તપાસ હજુ ચાલી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે, આઇએસઆઇએસ તાજમહેલ માટે આતંકવાદી હુમલાનું કાવતરું ઘડી આખી દુનિયામાં ભય ફેલાવવા માંગે છે.