12 જૂને TDP પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ લેશે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ
New Chief Minister of Andhra Pradesh: લોકસભાની ચૂંટણી સાથે આંધ્રપ્રદેશની ચૂંટણી પણ પૂર્ણ થઈ ગઈ છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) એ 135 સીટો અને તેમની સહયોગી જનસેના પાર્ટીએ 21 સીટો પર જીત મેળવી છે.
બહુમતનો આંકડો પાર કરી ચૂકેલી તેલુગુ દેશમ પાર્ટી આંધ્રપ્રદેશમાં સરકાર બનાવવા જઈ રહી છે, અને પાર્ટીના વડા ચંદ્રબાબુ નાયડુ મુખ્યમંત્રી તરીકે સત્તા સંભાળવા જઈ રહ્યા છે.

ચંદ્રબાબુ નાયડુ પહેલા 9 જૂને મુખ્યમંત્રી પદના શપથ લેશે તેવી અપેક્ષા હતી, પરંતુ ઈન્ડિયા ટુડેના સમાચાર મુજબ હવે નાયડુ 12 જૂને મુખ્યમંત્રી પદના શપથ લેશે. તેનું કારણ એ છે કે, 8 જૂન શનિવારના રોજ નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે.
અત્રે નોંધનીય બાબત છે કે, લોકસભા ચૂંટણી પહેલા જ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) ના નેતા ચંદ્રબાબુ નાયડુ ભાજપના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ) માં જોડાયા હતા. TDP લોકસભા ચૂંટણીમાં 16 બેઠકો જીતીને કિંગમેકર બની ગઈ છે.












Click it and Unblock the Notifications
