Teachers Day: PM મોદીએ 75માં રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર વિજેતાઓ સાથે કરી વાત, રાષ્ટ્રપતિ મુર્મૂ આજે આપશે અવૉર્ડ
National Teachers Award 2023: આજે એટલે કે 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિવસ છે. આ ખાસ અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર આપશે. આ વખતે કુલ 75 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
આ સન્માન માટે દેશભરમાંથી 75 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. આ અગાઉ, ગઈ કાલે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવોર્ડ વિજેતા શિક્ષકો સાથે વાત કરી હતી. તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ ગયા વર્ષે પણ શિક્ષકો સાથે વાત કરી હતી. ગત વર્ષે કુલ 46 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર મળ્યો હતો.

શિક્ષકો સાથે વાતચીત કરતી વખતે, પીએમ મોદીએ યુથ બ્રેઈનને આકાર આપવામાં તેમના યોગદાનની પ્રશંસા કરી. પીએમ મોદી સાથે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ હાજર હતા. આ વખતે શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર માટે 75 શિક્ષકોની પસંદગી કરી છે. જેમને આજે રાષ્ટ્રપતિ મુર્મી અવોર્ડથી સન્માનિત કરશે.
75 એવોર્ડ મેળવનારાઓમાં 50 શાળાના શિક્ષકો, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના 13 શિક્ષકો અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના 12 શિક્ષકોનો સમાવેશ થાય છે.
શિક્ષકો સાથે લાંબી વાતચીત દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે મારી આભા 140 કરોડ લોકોની તેજસ્વીતાનું પ્રતિબિંબ છે. એક શિક્ષકે તેમને કહ્યું કે જ્યારે હું તમને જોઉં છું, ત્યારે હું તમને આ મહાન દેશ માટે આટલી જહેમતથી કામ કરતા જોઉં છું. હજુ પણ તમારા ચહેરા પર એ જ આભા અને સ્મિત છે. અમને લાગે છે કે અમારા વર્ગના વિદ્યાર્થીઓએ અમારી તરફ એ રીતે જોવું જોઈએ જેમ અમે તમને જોઈ રહ્યા છીએ.
75 પસંદ કરેલ એવોર્ડ વિજેતાઓને વિજ્ઞાન ભવન, નવી દિલ્હી ખાતે 'રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ 2023'થી સન્માનિત કરવામાં આવશે. શિક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, શિક્ષકોને આપવામાં આવતા દરેક પુરસ્કારમાં મેરિટ સર્ટિફિકેટ, 50,000 રૂપિયાનું રોકડ પુરસ્કાર અને સિલ્વર મેડલનો સમાવેશ થાય છે.
#WATCH | Delhi | "...My aura is the reflection of the aura of 140 crore people," PM Narendra Modi’s interaction with a teacher during a long interaction with teachers held at 7 LKM today.
— ANI (@ANI) September 4, 2023
The teacher told him, "When I look at you, I see you working for this great country with… https://t.co/1FbzNZrdGl pic.twitter.com/o1NtM1Dtz4
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે







Click it and Unblock the Notifications
