બિહારમાં મતદાન પહેલા તેજસ્વીઃ નીતિશજી હવે થાકી ગયા છે, બિહારને સંભાળવામાં અસમર્થ
છેલ્લા તબક્કાના વોટિંગ પહેલા મહાગઠબંધનના સીએમ ઉમેદવાર અને રાજદ નેતા તેજસ્વી યાદવે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર કટાક્ષ કર્યો છે.
પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન માટે આજે શનિવારે(7 નવેમ્બર) 15 જિલ્લાની 78 સીટો પર મતદાન થવા જઈ રહ્યુ છે. વોટિંગ સાત વાગ્યાથી શરૂ થઈ ચૂક્યુ છે. મતદાન કેન્દ્રો પર મતદારોની લાંબી લાઈન લાગી છે. છેલ્લા તબક્કાના વોટિંગ પહેલા મહાગઠબંધનના સીએમ ઉમેદવાર અને રાજદ નેતા તેજસ્વી યાદવે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર કટાક્ષ કરીને કહ્યુ કે તે થાકી ગયા છે અને બિહારને સંભાળવામાં અસમર્થ છે. તેજસ્વી યાદવે લોકોને વોટ કરવાની અપીલ કરી છે.

રાજદ નેતા તેજસ્વી યાદવે કહ્યુ, 'હું બધાને લોકતંત્રના આ તહેવારમાં ભાગ લેવા અને વોટ આપવાની અપીલ કરુ છુ. આ ચૂંટણીમાં બિહાર પોતાના ભવિષ્ય પર નિર્ણય લેશે. નીતિશજી થાકી ગયા છે અને તે રાજ્યને સંભાળવામાં અસમર્થ છે.' તેજસ્વી યાદવે શનિવારે(7 નવેમ્બર)ની સવારે ટ્વિટ કર્યુ, 'બિહારમાં બદલાવની ગંગા, ગંડક અને કોસી વહી રહી છે. બદલાવ ઉફાન પર છે. સોનેરી ભવિષ્ય, ચતુર્મુખી વિકાસ, વિકસિત બિહાર, ભાઈચારો, પ્રેમ, શાંતિ જાળવવા તેમજ વ્યવસ્થા પરિવર્તન અને નવા દોરમાં નવા બિહારના નિર્માણ માટે આજે પોતાના મતદાનનો ઉપયોગ જરૂર કરો.'
ચિરાગ બોલ્યા - નીતિશ હવે ક્યારેય મુખ્યમંત્રી નહિ બને
ત્રીજા ફેઝના મતદાન પહેલા લોજપા ચીફ ચિરાગ પાસવાને કહ્યુ કે જે રીતે બિહારના લોકો બિહાર ફર્સ્ટ, બિહારી ફર્સ્ટના નારા સાથે જોડાઈ રહ્યા છે, તેનાથી અમને પૂરી આશા છે કે આ તબક્કામાં પણ અમે સારુ પ્રદર્શન કરવાના છે. એક વસ્તુ તો એકદમ સ્પષ્ટ છે કે નીતિશજી હવે ક્યારેય મુખ્યમંત્રી નહિ બને.
10 નવેમ્બરે આવશે પરિણામ
બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં 28 ઓક્ટોબરે 71 સીટો પર વોટિંગ થયુ હતુ. વળી, 3 નવેમ્બરે બીજા તબક્કામાં 94 સીટો પર મતદાન થયુ. ત્રીજા અને અંતિમ તબક્કામાં બિહારના 15 જિલ્લાઓની 78 વિધાનસભા સીટો પર વોટિંગ છે. બિહાર ચૂંટણીના પરિણામો 10 નવેમ્બરે આવશે.
I appeal to everyone to participate in this festival of democracy & cast their votes. In this election, Bihar will take decision on its future. Nitish Ji is tired & he is unable to handle the state: Tejashwi Yadav, RJD #BiharElections pic.twitter.com/FXg9Jpz4eO
— ANI (@ANI) November 7, 2020
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
