લોકસભા ચૂંટણી વચ્ચે તેજસ્વી યાદવનો મોટો દાવો, ગુજરાતમાં પણ મુસ્લિમો...

Lok Sabha election 2024 : દેશમાં મુસ્લિમ અનામતને લઈને ચાલી રહેલા રાજકીય યુદ્ધને લઈને પક્ષો અને વિપક્ષો એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. આ જંગને આગળ વધારતા RJD ના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘેર્યા છે.

બિહાર વિપક્ષના નેતા તેજસ્વી યાદવે સોમવારના રોજ તેમના ટ્વિટર એકાઉન્ટ પર ગુજરાતમાં મુસ્લિમ અનામતને લગતી એક યાદી સાથે એક પોસ્ટ પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, આ સૂચિ મુસ્લિમ ઓબીસી જાતિઓની કેન્દ્રીય સૂચિ છે, જેમને પછાત વર્ગોમાં અનામત મળે છે. એ જ ગુજરાતમાં જ્યાં નરેન્દ્ર મોદી 13 વર્ષ સુધી મુખ્યમંત્રી હતા.

13 મુસ્લિમ જ્ઞાતિઓના નામ લેવામાં આવ્યા - તેજસ્વીએ પોસ્ટની સાથે જે મુસ્લિમ સમુદાયની યાદી બનાવી છે, તેમાં ફકીર, તારી, અંસારી, મકરાણી, મતવા કુરેશી, મિયાના, સંધી, થીઓબા સહિત કુલ 13 OBC મુસ્લિમ જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Tejashwi Yadav

તેજસ્વી યાદવે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, આ માહિતી વડાપ્રધાન મોદીની સાથે સાથે મીડિયામાં રહેલા તે અજ્ઞાન લોકો માટે છે, જેઓ આજકાલ માત્ર વોટ્સએપની જાણકારીના આધારે ભ્રમ, નફરત અને અફવાઓ ફેલાવે છે.

તેજસ્વી યાદવે લખ્યું કે, આ લોકો નથી જાણતા કે આપણા બંધારણમાં અનામતનો આધાર ધર્મ નથી, પરંતુ સામાજિક પછાતપણું છે. આ પ્રથમ વખત નથી.

આ પહેલા લાલુ પ્રસાદ યાદવે પણ મુસ્લિમ આરક્ષણને લઈને પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું હતું. જ્યારે તેજસ્વી યાદવે રવિવારે વડાપ્રધાન મોદીને પત્ર લખીને કહ્યું હતું કે, તેઓ સ્પષ્ટ કરે કે, તમે ખાનગી ક્ષેત્રમાં પછાત, અત્યંત પછાત, દલિત અને અન્ય તમામ વર્ગોને યોગ્ય અનામત આપવાની માંગ સાથે સહમત છો કે નહીં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X