તેલંગાણા ચૂંટણીઃ 119 સીટો માટે મતદાન શરુ, પીએમ મોદીએ રેકૉર્ડ સંખ્યામાં વોટિંગની કરી અપીલ
Telangana Assembly Election 2023: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લોકોને તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક મતદાન કરવા વિનંતી કરી છે. પીએમ મોદીએ પહેલીવાર વોટ કરી રહેલા યુવાનોને પણ વોટ કરવાની અપીલ કરી છે.
પીએમ મોદીએ લખ્યું, "હું તેલંગાણાની મારી બહેનો અને ભાઈઓને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા અને લોકશાહીના પર્વને મજબૂત કરવા માટે આહ્વાન કરું છું. હું ખાસ કરીને યુવા અને પ્રથમ વખતના મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરું છું.''

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરીને મતદારોને મતદાન કરવાની અપીલ કરી છે. અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું કે, માત્ર ભ્રષ્ટાચાર મુક્ત અને ગરીબ તરફી સરકાર જ તેલંગાણાની સમૃદ્ધિ માટે નિઃસ્વાર્થપણે કામ કરી શકે છે. હું તેલંગાણાના લોકોને એવી સરકાર બનાવવા માટે મોટી સંખ્યામાં બહાર આવવા અપીલ કરું છું જેની પ્રાથમિકતા સશક્તિકરણ છે, તુષ્ટિકરણ નહીં."
હૈદરાબાદમાં આજે હાજર કેન્દ્રીય મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ કિશન રેડ્ડીએ કહ્યું, "મતદાન એ ભારતની લોકશાહીમાં એક મહત્વનું શસ્ત્ર છે. આ અધિકારનો સંપૂર્ણ ઉપયોગ થવો જોઈએ. જે વ્યક્તિ પોતાના મતના અધિકારનો ઉપયોગ નથી કરતી તેને ટીકા કરવાનો અધિકાર નથી. હું સહુને અનુરોધ કરુ છુ કે મતદાન આપણી જવાબદારી અને અધિકાર છે, તેથી બહાર નીકળીને મતદાન કરો. તેલંગાણામાં સારી સરકાર લાવવાની જવાબદારી તમારા બધાની છે."
તમને જણાવી દઈએ કે તેલંગાણામાં આ વખતે 3 કરોડ 26 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તેલંગાણામાં 35,655 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે, જેમાંથી 12 હજારથી વધુ મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે.
I call upon my sisters and brothers of Telangana to vote in record numbers and strengthen the festival of democracy. I particularly urge young and first time voters to exercise their franchise.
— Narendra Modi (@narendramodi) November 30, 2023
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
