Telangana Exit Poll 2023 : તેલંગાણામાં કાંટાની ટક્કર, જાણો કઈ પાર્ટીને કેટલી સીટો?
તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે મતદાન પુરૂ થયા બાદ એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે. સીએનએન ન્યૂઝ 18 એક્ઝિટ પોલ અનુસાર, તેલંગાણામાં કાંટાની ટક્કર જોવા મળી શકે છે.
સીએનએન ન્યૂઝ 18 એક્ઝિટ પોલ અનુસાર, કોંગ્રેસને 119 બેઠકોમાંથી 56 બેઠકો મળી શકે છે. જ્યારે બીઆરએસ માત્ર 48 સીટો સુધી સીમિત રહી શકે છે. જ્યારે ભાજપને 10 અને અસદુદ્દીન ઓવૈસીની AIMIMને 5 બેઠકો મળવાની સંભાવના છે.

તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં બહુમત સુધી પહોંચવા 60 સીટોની જરૂર છે. આ સ્થિતિમાં કોંગ્રેસ બહુમતીના આંકડાની નજીક છે. જો કે આ માટે તેણે AIMIMનો સહારો લેવો પડશે. જ્યારે ચૂંટણી પછી જો BRS બીજેપી સાથે ગઠબંધન કરે છે તો તે ફરીથી સત્તામાં પહોંચી શકે છે. જો કે, આ માત્ર એક અંદાજ છે અને અંતિમ પરિણામ 3 ડિસેમ્બરે આવશે.
તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે ગુરુવારે જ મતદાન થયું હતું. તેલંગાણાની 119 સીટો પર સાંજે 5 વાગ્યા સુધી લગભગ 64% મતદાન નોંધાયું છે.
આ વખતે ચૂંટણી પંચે સમગ્ર તેલંગાણામાં અને ખાસ કરીને હૈદરાબાદમાં મતદાનની ટકાવારી વધારવા માટે ઘણી જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું. જો કે બપોર સુધીનું વલણ દર્શાવે છે કે હૈદરાબાદના મતદારોમાં મતદાન પ્રત્યેનો ઉત્સાહ અગાઉની ચૂંટણીઓની જેમ જ નબળો રહ્યો હતો.












Click it and Unblock the Notifications
